સમુદ્ર મંથન દરમિયાન નીકળેલ આ વસ્તુઓ ઘરમા રાખવાથી શાંતિ બની રહે છે અને સુખ સમૃધ્ધિની પ્રાપ્તિ થાય છે.
સમુદ્ર મંથન દરમિયાન છેલ્લી અમૂલ્ય વસ્તુ જે બહાર કાઢવામાં આવી હતી
આ વસ્તુઓ ઘરમા રાખવાથી શાંતિ બની રહે છે
આપણા હિંદુ ધર્મમાં આજે પણ ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે અને એ કથાઓ પુરાવા આપે છે કે પ્રાચીન સમયમાં દેવો અને દાનવો વચ્ચે અનેક યુદ્ધો થયા હતા. આ બધી કથાઓમાંથી સૌથી વધુ પ્રચલિત કથા છે મહાસાગર મંથનની. આ દંતકથા અનુસાર, મહર્ષિ દુર્વાસાના શ્રાપને કારણે સ્વર્ગમાં વૈભવ, ઐશ્વર્ય અંત આવ્યો હતો અને બધા દેવતાઓ શ્રી હરિ વિષ્ણુ પાસે પહોંચ્યા અને એ જ સમયે ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથનનો ઉપાય જણાવ્યો હતો.
અમૃત કળશ : એ દંત કથાઓ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન છેલ્લી અમૂલ્ય વસ્તુ જે બહાર કાઢવામાં આવી હતી એ હતો અમૃત કળશ અને તેને ભગવાન ધન્વંતરિ દ્વારા બહાર લાવવામાં આવ્યો હતો. માન્યતા અનુસાર સમુદ્ર મંથનમાંથી અમૃતનો કલશ નીકળ્યા બાદ દેવતાઓ અને અસુરો બંને તેને મેળવવા માંગતા હતા અને તેના કારણે વિવાદ સર્જાયો હતો. એ સમયથી લઈને અત્યાર સુધી દરેક શુભ અને શુભ કાર્યમાં અમૃત કલશની સ્થાપના કરવાની પરંપરા શરૂ થઈ. જે ઘરમાં અમૃત કળશની સ્થાપના હોય ત્યાં રોગ, દુ:ખ અને સમસ્યાઓ આવતી નથી. સાથે જ સમુદ્ર મંથન દરમિયાન નીકળેલ આ વસ્તુઓ ઘરમા રાખવાથી શાંતિ બની રહે છે અને સુખ સમૃધ્ધિની પ્રાપ્તિ થાય છે.
પંચજન્ય શંખઃ પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથનમાંથી 14 અમૂલ્ય રત્નો નીકળ્યા હતા અને પંચજન્ય શંખ પણ આ રત્નોમાંથી એક ગણાય છે. ધ્યાન આપીને જોઈએ તો કોઈ પણ તસવીરમાં ભગવાન વિષ્ણુના હાથમાં આ શંખ જોવા મળે છે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર આ શંખને ઘરના મંદિરમાં રાખવું ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે.
ઉચ્ચૈ: શ્રવ ઘોડા: ઉચાઈ: પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથનમાંથી 14 અમૂલ્ય રત્નો નીકળ્યા હતા અને ઉચ્ચૈ: શ્રવ ઘોડા તેમાંથી એક છે. માન્યતા આંસુયર આ સફેદ રંગનો ઘોડો અસુરોના રાજા બલિને આપવામાં આવ્યો હતો અને આ ઘોડો આકાશમાં ઉડતો હતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો કોઈ વ્યક્તિ સમુદ્ર મંથનમાંથી નીકળેલા આ ઘોડાની તસવીર પોતાના ઘરમાં લગાવે છે તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.
પારિજાતનું ફૂલ: માન્યતા અનુસાર દેવતાઓ અને અસુરો વચ્ચેના સમુદ્ર મંથનમાંથી પારિજાતનું વૃક્ષ પણ ઉદ્ભવ્યું હતું એટલા માટે જો ઘરના ભગવાનને પારિજાતના ફૂલ ચઢાવવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે પારિજાત ફૂલની સુગંધ માનવ જીવનમાં સફળતાનો માર્ગ ખોલવામાં મહત્વનો ભાગ ભજવે છે.
ઐરાવત હાથી: પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથનમાંથી 14 અમૂલ્ય રત્નો નીકળ્યા હતા અનેઐરાવત એ 14 રત્નોમાંથી એક છે. કહેવાય છે કે આ ઐરાવત હાથી દેવતાઓના રાજા ઈન્દ્રનું વાહન છે, જે ઉડી પણ શકે છે. એટલા માટે આ સફેદ રંગનો ઐરાવત હાથી ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.