વાસ્તુ શાસ્ત્રમાં ગણેશજીની મૂર્તિ રાખવા કે સ્થાપિત કરવા માટે અમુક નિયમો જણાવવામાં આવ્યા છે. જો એ નિયમોનું પાલન કરશો તો ઘરમાં ગણેશજીની કૃપા બની રહશે.
ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટે છે.
ગણેશજીની મૂર્તિ રાખવા કે સ્થાપિત કરવા માટે અમુક નિયમો
ભૂલથી પણ આ દિશામાં ન રાખતા ગણેશજીની મૂર્તિ
દેશમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકો આ તહેવારને ગણેશજીના જન્મોત્સવ તરીકે ઉજવે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી શરૂ થાય છે. જે ચૌદશે પૂર્ણ થાય છે. આ વખતે ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટે છે.
આ 10 દિવસ દરમિયાન ભગવાન ગણેશની વિધિવત પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. બધી પરેશાનીઓનો અંત આવે છે. આ સિવાય કુંડળીના કેટલાક ગ્રહો પણ શાંત થઈને શુભ પરિણામ આપે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ ભગવાન ગણેશને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુ અનુસાર, ઘરમાં ગણેશની મૂર્તિ અથવા તસવીર હોવાથી ઘણા વાસ્તુ દોષો દૂર થાય છે. સાથે જ ઘરમાં અપાર સુખ - સમૃદ્ધિ પણ આવે છે.
કઈ દિશા શુભ
વાસ્તુશાસ્ત્રમાં ગણેશજીની મૂર્તિ રાખવા કે સ્થાપિત કરવા માટે અમુક નિયમો જણાવવામાં આવ્યા છે. જો એ નિયમોનું પાલન કરશો તો ઘરમાં ગણેશજીની કૃપા બની રહશે. વાસ્તુ અનુસાર ખાસ ઘરના ઉતર-પૂર્વ એટલે કે ઇશાન ખૂણામાં ગણેશજીની મૂર્તિ રાખવી ઉત્તમ ગણાય છે.
ભૂલથી પણ આ દિશામાં ન રાખતા
ઘરની દક્ષિણ દિશામાં ભૂલથી પણ ગણેશજીની મૂર્તિ સ્થાપિત ન કરવી જોઈએ. સાથે જ જે દિશામાં ભગવાન ભગવાન ગણેશની મૂર્તિ રખવામાં આવે છે એ દિશામાં કચરો ન ફેંકવો જોઈએ.
ગણેશજીની આવી મૂર્તિ રાખવી શુભ
ઘરમાં સ્થાપિત કરવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ કરતાં ધાતુની મૂર્તિ કે માટી ની મૂર્તિ શુભ ગણાય છે. જે મૂર્તિમાં ગણેશજઈ બેઠેલ મુદ્રામાં હોય એવી જ મૂર્તિ ઘરમાં રાખવી જોઈએ.
આ વાતોનું રાખો ખાસ ધ્યાન
ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરતાં સમયે એ વાત ઘ્યાનમાં રાખો કે ગણપતિની સૂંઢ જમણી બાજુ હોવી જોઈએ.
ગણેશજીની ખૂબ મોટી પ્રતિમા ન હોવી જોઈએ.
ગણેશજી સાથે ઉંદરની સવારી હોવી જોઈએ અને એમને લડ્ડુનો ભોગ ખાસ લગાવવો જોઈએ.