કોરોનાકાળમાં સ્વસ્થ રહેવા માટે શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને વધુ મજબૂત કરવી એકદમ જરૂરી છે
હ્રદયને સ્વસ્થ રાખવા માટે ઘણા ફળો અને કઠોળ લાભદાયી
ડૉક્ટરોના કહ્યા મુજબ આ ફળ છે ઘણું ગુણકારી
કઠોળથી પણ હ્રદયને રાખી શકાય છે એકદમ સ્વસ્થ
હ્રદયને સ્વસ્થ રાખવા માટે ઘણા ફળો અને કઠોળ લાભદાયી
કોરોનાકાળમાં સ્વસ્થ રહેવા માટે શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને વધુ મજબૂત કરવી એકદમ જરૂરી છે. જે લોકોને ડાયાબિટીસ, સ્ટ્રોક કે પછી હ્રદય સબંધી બીમારીઓ છે તે લોકોને કોરોના વાયરસની વધુ અસર થાય છે. મોટાભાગે કોરોના વાયરસના ભારતીય ડેલ્ટા વેરીએન્ટને કારણે ભારતીઓને શ્વાસ લેવામાં ઘણી જ તકલીફ પડે છે. આ માટે થઈને કોરોના કાળમાં ડોકટરો દ્વારા હ્રદયને એકદમ સ્વસ્થ રાખવાની સલાહ આપવામાં આવી છે. હ્રદયને માનવ શરીરનું એક મહત્વનું અંગ માનવામાં આવે છે. જેનું મુખ્ય કામ શરીરના દરેક ભાગમાં લોહી પહોંચાડવાનું અને લોહીને એકદમ શુદ્ધ રાખવાનું હોય છે.
ડૉક્ટરોના કહ્યા મુજબ આ ફળ છે ઘણું ગુણકારી
હ્ર્દયનું મુખ્ય કામ હોય છે લોહીને પંપ કરવું. જેના દ્વારા સમગ્ર શરીરમાં લોહીનું વહન થાય. તેથી જો હ્રદય સુરક્ષિત તો શરીર સુરક્ષિત. તેથી હ્રદયને સ્વસ્થ રાખવા માટે રોજ સવારે ભૂખ્યા પેટે કિવીનું જ્યુસ પીવું જોઈએ. કારણકે કિવીમાં પોટેશિયમ અને ફાઈબર હોય છે, જે હ્રદય માટે ઘણું જ લાભદાયી હોય છે. તેમાં રહેલ ફાઈબર કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે. જેનાથી હ્રદય સબંધી બીમારીઓ પણ ઓછી થઈ જાય છે અને હ્રદયરોગના હુમલાનું જોખમ પણ ઓછું થઈ જાય છે.
કઠોળથી પણ હ્રદયને રાખી શકાય છે એકદમ સ્વસ્થ
ચણા બ્લડ પ્રેશર કંટ્રોલ માટે લાભકારક છે. હાઈ બ્લડ પ્રેશર રોજિંદા અને પૂરતા પ્રમાણમાં પોટેશિયમના સેવનથી મેનેજ કરી શકાય છે, જે લગભગ ૪૭૦૦ મિલિગ્રામ જેટલું છે. ચણાના એક કપમાંથી તમને ૪૭૪ મિલિગ્રામ પોટેશિયમ મળે છે જે હૃદયનું આરોગ્ય સુધારે છે, ચણાનો બીજો ફાયદો એ છે કે તેનાં સેવનથી તમારા હ્રદયને પર્યાપ્ત પોષણ આપી શકો છો. જેમ કે તે સેલેનિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન બી, ફાઇબર, આયર્નથી ભરેલું છે. ચણા તમારા હૃદયનાં જોખમોની આપમેળે કાળજી લે છે, ઉપરાંત તે કોલેસ્ટરોલ ઘટાડે છે.