આજના સમયમાં દરેક લોકો પૈસા કમાવવા ઇચ્છે છે કારણ કે એ એમના પરિવારની જરૂરીયાતો પૂરી કરી શકે કેટલાક લોકો એવા પણ હોય છે જે મહેનત કર્યા વગર જ પૈસા કમાઇ લે છે કારણ કે એમના નસીબ સાથ આપે છે. પરંતુ બધા સાથે આવું થતું નથી. જોરદાર મહેનત કર્યા બાદ પણ દરેક લોકોને એમની મહેનતનું ફળ મળી શકતું નથી. આજના સમયમાં વાસ્તુશાસ્ત્રનો દરેક ઘરમાં ખૂબ મહત્વ થઇ ગયું છે. વાસ્તુને ધ્યાનમાં રાખીને લોકો બધા કામ કરે છે. જો આનો ઉપયોગ સાચી રીતે કરવામાં ના આવ્યો તો એ ભાગ્ય પણ બદલી શકે છે. આજે તમને કેટલીક એવી ચીજો માટે જણાવીશું. જેને ઘરમાં રાખવાથી પૈસાની તંગી દૂર થઇ જાય છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર કબૂતર અથવા કાગડાને રાખવાનું શુભ માનવામાં આવે છે. ઘરમાં શાંતિ બનાવી રાખવા માટે સફેદ કપડામાં કબૂતર અથવા કાગડાની પાંખો લપેટીને અને લાલ રંગના દોરાથી બાંધીને તમારી તિજોરીમાં રાખવાથી માં લક્ષ્મીની કૃપા બનેલી રહે છે.
પાંચ મુખ વાળા હનુમાનજીની પ્રતિમાને ધની દક્ષિણ-પશ્વિમ દિશામાં રાખો અને દરરોજ પૂજા કરો. એનાથી ઘરમાં સુખ-શાંતિ અને ધનસંપત્તિ બનેલી રહે છે.
ઘરમાં પૈસાની કમી દૂર કરવા માટે ધાતુનો બનેલો કાચબો રાખવો પણ શુભ માનવામાં આવે છે.
ઘરના દરેક દોષોને દૂર કરવા માટે વાસ્તુ દેવતાનો ફોટો રાખો. આવું કરવાથી દરેક દોષ જાતે જ દૂર થઇ જાય છે.