13 નવેમ્બર એટલે આજનો દિવસ, આજે ધનતેરસનો તહેવાર છે. ધનતેરસનું પર્વ કાર્તિક માસની ત્રયોદશી તિથીના દિવસે ઉજવવામાં આવે છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવન્તરિ, કુબેરજી અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
ધનતેરસે સાવરણી ખરીદતા પહેલા રાખો ધ્યાન
યોગ્ય ખરીદી ન કરવા પર લક્ષ્મીની કૃપાથી રહી જશો વંચિત
કેટલીક પ્રકારની સાવરણીને જ માનવામાં આવી છે માતાનું પ્રતિક
એક માન્યતા અનુસાર આજના શુભ દિવસે સાવરણી ખરીદવાની માન્યતા છે, જેનાથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે. સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવ્યું છે પરંતુ ખોટી રીતે ખરીદી કરવાને કારણે કૃપાથી વંચિત રહી જશો.
પ્લાસ્ટિકની સાવરણી અશુભ
ધનતેરસના દિવસે પ્લાસ્ટિકની સાવરણી ખરીદશો તો તે અશુભ માનવામાં આવ્યા છે. માટે પ્લાસ્ટિકની સાવરણી ન ખરીદશો.
નાની સાવરણી ન ખરીદો
બજારમાં નાની, મોટી કેટલા પ્રકારની સાવરણી ઉપલબ્ધ હોય છે પરંતુ નાની સાવરણી ન ખરીદવી, લાંબી સાવરણી જ ખરીદો.
પાતળી સાવરણી ન ખરીદો
બજારમાં મળતી સાવરણીમાંથી તમે ક્યારેય પાતળી સાવરણી ન ખરીદતા, કારણકે તેનાથી માતાજીની કૃપાથી તમે વંચિત રહી જશો.