ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય એવા મોરપંખ તથા કામધેનુની મૂર્તિને ઘરમાં રાખવાથી ક્યારેય પણ આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે.
મોરપંખ અને કામધેનુ છે ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય
ઘરમાં મોરપંખ અને કામધેનુની મૂર્તિ રાખવાથી આર્થિક તંગી દૂર થાય છે
સંતાન વગરનાં કપલને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે
મોરપંખ અને કામધેનુ છે ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય
ભગવાન શ્રીકૃષ્ણ હંમેશા પોતાના મુકુટ પર મોરપંખ ધારણ કરે છે. આ સાથે જ કામધેનુ ગાય પણ કાન્હાજીની ખાન ઓળખાણ રહી છે. જન્માષ્ટમીનાં પર્વ દરમિયાન આ બંનેને મંદિરમાં ધારણ કરવું શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે રૂટિનમાં પણ બંનેને મંદિર અથવા પોતાના કાર્યસ્થળ પર રાખવા શુભ માનવામાં આવે છે. જો આ બંને વસ્તુઓ તમારી આસપાસ રહે છે, તો તમારા જીવનને સુખમય બનતા કોઈ ન અટકાવી શકે. તો આવો જાણીએ આ વસ્તુઓને ઘર કે ઓફિસમાં રાખવાના ક્યા ક્યા ફાયદાઓ છે.
ઘરમાં મોરપંખ અથવા કામધેનુની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવે છે
સનાતન ધર્મ અનુસાર, જો તમારા ઘર કે ઓફિસમાં વાસ્તુ દોષ હોય તો તમારા ઘરનાં મંદિરમાં કામધેનુની મૂર્તિ અને મોરપંખ રાખવું જોઈએ. માનવામાં આવે છે કે આ બંનેની હાજરીથી ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે. આવો જ ઉપાય તમે તમારા કાર્યસ્થળ પર કરી શકો છો. આમ કરવાથી નોકરીમાં પ્રગતિ થશે અને ઘણા નવા બિઝનેસની ડીલ પણ પ્રાપ્ત થશે.
અગ્નેય કોણમાં જ લગાવો મોરપંખ
જે લોકોની કુંડળીમાં રાહુનો દોષ હોય, તેમના માટે મોરપંખ પોતાની આસપાસ રાખવું શુભ માનવામાં આવે છે. જો તમારા કામ બનતા બનતા અટકી પડતાં હોય તો ઘરના અગ્નેય કોણમાં મોરપંખ લગાવો. આ મોરપંખને ક્યારેય પણ ખરીદવાને બદલે ખાસ અવસરો પર જ ખરીદો.
કામધેનુની મૂર્તિથી આવે છે સકારાત્મક ઉર્જા
જો તમે આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો, તો ઘરનાં દક્ષિણ-પૂર્વ ભાગમાં મોરપંખ લગાવો. માન્યતા છે કે આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જે લોકો માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હોય, તેઓ કામધેનુની મૂર્તિનો ઉપાય કરી શકે છે. માનવામાં આવે છે કે માં કામધેનુની મૂર્તિને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. માં કામધેનુને ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવા જોઈએ.
સંતાન વગરનાં કપલને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે
જે કપલને સંતાન નથી અને સંતાન પ્રાપ્તિ કરવા માંગે છે, તેમણે વાંછરડાવાળી માં કામધેનુની મૂર્તિ ઘરનાં મંદિરમાં રાખવી જોઈએ. આમ કરવાથી કપલની ઈચ્છા પૂરી થાય છે. બાળકોને સારા સંસ્કાર આપવા માટે ઘરમાં મોરપંખ તથા માં કામધેનુની મૂર્તિ અવશ્ય રાખો.
જો પૂજાઘરમાં મૂર્તિ ન રાખવી હોય, તો પ્રવેશ દ્વાર પર પણ રાખી શકાય છે. માં કામધેનુથી ઘરમાં ધનની કોઈ અછત રહેતી નથી. કહેવાય છે કે કામધેનુને સમુદ્ર મંથનમાંથી બહાર કાઢવામાં આવેલા રત્નોમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.