બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Keep these things in mind while doing Shraddha in Pitrupaksha, do not make these mistakes even by mistake
Last Updated: 01:06 PM, 10 September 2022
ADVERTISEMENT
હિંદુ પંચાંગ અનુસાર 10 સપ્ટેમ્બર શનિવારથી એટલે કે આજથી જ પિતૃ પક્ષ શરૂ થઈ રહ્યો છે જે 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દિવસો દરમિયાન લોકો તેમના પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કરે છે. પિતૃ પક્ષમાં પૂર્વજોને યાદ કરીને દાન-ધર્મનું પાલન કરીએ છીએ. જો કે તમને જણાવી દઈએ કે પિતૃઓના નામ પર કરવામાં આવતા દાન અને શ્રાદ્ધ અંગે કેટલાક નિયમો છે જેનું પાલન કરવું જોઈએ. ઘણી વખત પિતૃ પક્ષમાં જાણતાં કે અજાણતાં ભૂલો થાય છે જે ભૂલોથી બચવું જોઈએ, આજે અમે તમને એ ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ..
ADVERTISEMENT
પિતૃ પક્ષ દરમિયાન ન કરો આ ભૂલો
શક્ય હોય ત્યાં સુધી આ દિવસોમાં સાત્વિક આહારનું જ સેવન કરવું જોઈએ. હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે ભોજનની પસંદગી આપણા સ્વભાવ પર પણ અસર કરે છે અને પિતૃ પક્ષમાં સ્વભાવ અને ભોજન સાદું હોવું જરૂરી માનવામાં આવે છે. જણાવી દઈએ કે લસણ અને ડુંગળીને તામસિક ખોરાક માનવામાં આવે છે એટલા માટે જ આ બંનેનો ઉપયોગ કોઈપણ ધાર્મિક કાર્યમાં થતો નથી. પિતૃ પક્ષ દરમિયાન આ ભૂલથી બચવું જોઈએ સાથે જ દૂધનું વધુ પડતું સેવન પણ ન કરવું જોઈએ.
માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ
જો કે લસણ અને ડુંગળીની સાથે સાથે પિતૃ પક્ષમાં માંસ ખાવાની ભૂલ પણ ન કરવી જોઈએ. શ્રાદ્ધના આ સમય દરમિયાન ઈંડા અને માંસાહારી ખોરાક સંપૂર્ણપણે વર્જિત માનવામાં આવે છે. આ સિવાય દારૂ, બીડી, સિગારેટ અને તમાકુનું સેવન પણ ટાળવું જોઈએ. ફક્ત આટલું જ નહીં પિતૃપક્ષના 16 દિવસ સુધી તર્પણ કરનારાઓએ ચણાનું સેવન પણ ન કરવું જોઈએ.
આ વાતોનું રાખો ધ્યાન
માન્યતા અનુસાર પિતૃઓને ઓછી સુગંધવાળા ફૂલો પસંદ છે. એટલા માટે તેમને ફક્ત હળવા સુગંધના સફેદ ફૂલો જ અર્પણ કરવા જોઈએ. પિતૃઓનું તર્પણ કઈ દિશામાં કરવું જોઈએ એ મોટાભાગના લોકોને ખબર નથી હોતી, ટો જણાવી દઈએ કે તર્પણ અથવા પિંડ અર્પણ કરતી વખતે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને જ બેસવું જોઈએ. આ સાથે જ પિતૃ પક્ષ દરમિયાન દરરોજ ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.