બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Keep these things in mind while doing Shraddha in Pitrupaksha, do not make these mistakes even by mistake

ધર્મ / પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરતાં સમયે ખાસ ધ્યાનમાં રાખો આ વાતો, ભૂલથી પણ ન કરવી આ ભૂલો

Last Updated: 01:06 PM, 10 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત પિતૃપક્ષમાં જાણતાં કે અજાણતાં ભૂલો થાય છે જે ભૂલોથી બચવું જોઈએ, આજે અમે તમને એ ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ..

  • પિતૃપક્ષમાં જાણતાં કે અજાણતાં ભૂલો થાય છે
  • પિતૃઓના નામ પર કરવામાં આવતા દાન અને શ્રાદ્ધ અંગે કેટલાક નિયમો છે
  • પિતૃપક્ષ દરમિયાન ન કરો આ ભૂલો 

હિંદુ પંચાંગ અનુસાર 10 સપ્ટેમ્બર શનિવારથી એટલે કે આજથી જ પિતૃ પક્ષ શરૂ થઈ રહ્યો છે જે 25 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ દિવસો દરમિયાન લોકો તેમના પિતૃઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કરે છે. પિતૃ પક્ષમાં પૂર્વજોને યાદ કરીને દાન-ધર્મનું પાલન કરીએ છીએ. જો કે તમને જણાવી દઈએ કે પિતૃઓના નામ પર કરવામાં આવતા દાન અને શ્રાદ્ધ અંગે કેટલાક નિયમો છે જેનું પાલન કરવું જોઈએ. ઘણી વખત પિતૃ પક્ષમાં જાણતાં કે અજાણતાં ભૂલો થાય છે જે ભૂલોથી બચવું જોઈએ, આજે અમે તમને એ ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.. 

પિતૃ પક્ષ દરમિયાન ન કરો આ ભૂલો 
શક્ય હોય ત્યાં સુધી આ દિવસોમાં સાત્વિક આહારનું જ સેવન કરવું જોઈએ. હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે ભોજનની પસંદગી આપણા સ્વભાવ પર પણ અસર કરે છે અને પિતૃ પક્ષમાં સ્વભાવ અને ભોજન સાદું હોવું જરૂરી માનવામાં આવે છે. જણાવી દઈએ કે લસણ અને ડુંગળીને તામસિક ખોરાક માનવામાં આવે છે એટલા માટે જ આ બંનેનો ઉપયોગ કોઈપણ ધાર્મિક કાર્યમાં થતો નથી. પિતૃ પક્ષ દરમિયાન આ ભૂલથી બચવું જોઈએ સાથે જ દૂધનું વધુ પડતું સેવન પણ ન કરવું જોઈએ.

માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ 
જો કે લસણ અને ડુંગળીની સાથે સાથે પિતૃ પક્ષમાં માંસ ખાવાની ભૂલ પણ ન કરવી જોઈએ. શ્રાદ્ધના આ સમય દરમિયાન ઈંડા અને માંસાહારી ખોરાક સંપૂર્ણપણે વર્જિત માનવામાં આવે છે. આ સિવાય દારૂ, બીડી, સિગારેટ અને તમાકુનું સેવન પણ ટાળવું જોઈએ. ફક્ત આટલું જ નહીં પિતૃપક્ષના 16 દિવસ સુધી તર્પણ કરનારાઓએ ચણાનું સેવન પણ ન કરવું જોઈએ.

આ વાતોનું રાખો ધ્યાન 
માન્યતા અનુસાર પિતૃઓને ઓછી સુગંધવાળા ફૂલો પસંદ છે. એટલા માટે તેમને ફક્ત હળવા સુગંધના સફેદ ફૂલો જ અર્પણ કરવા જોઈએ.  પિતૃઓનું તર્પણ કઈ દિશામાં કરવું જોઈએ એ મોટાભાગના લોકોને ખબર નથી હોતી, ટો જણાવી દઈએ કે તર્પણ અથવા પિંડ અર્પણ કરતી વખતે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને જ બેસવું જોઈએ. આ સાથે જ પિતૃ પક્ષ દરમિયાન દરરોજ ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

pitru paksha પિતૃ પક્ષ પિતૃપક્ષ શ્રાદ્ધ Pitru Paksha 2022
Megha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ