આજે પણ દેશમાં એક મોટો મધ્યમ વર્ગ છે જે બેંક FDમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. વિવિધ બેંકોમાં 7 દિવસથી 10 વર્ષ સુધીની FD સ્કીમ ઉપલબ્ધ છે.
FDમાં રોકાણ કરતા પહેલા આ વસ્તુનું રાખો ધ્યાન
આટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાથી નુકસાન નહીં થાય
ઈમર્જન્સીમાં FD તોડવા પર લોસ નહીં થાય
ઘણા લોકો કોઈપણ જોખમી યોજનાઓમાં રોકાણ કરવાને બદલે જોખમ મુક્ત યોજનાઓમાં તેમના નાણાંનું રોકાણ કરવાનું પસંદ કરે છે. આજે પણ દેશમાં એક મોટો મધ્યમ વર્ગ છે જે બેંક FDમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. વિવિધ બેંકોમાં 7 દિવસથી 10 વર્ષ સુધીની FD સ્કીમ ઉપલબ્ધ છે.
છેલ્લા કેટલાક મહિનામાં SBI, એક્સિસ બેંક, HDFC બેંક, બેંક ઓફ બરોડા વગેરે જેવી ઘણી બેંકોએ તેમની FDના વ્યાજ દરમાં વધારો કર્યો છે. જો તમે પણ બેંકની FD એટલે કે ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો. તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે ઈમરજન્સીની સ્થિતિમાં સમય પહેલા FD તોડી નાખો છો. તો તમને ઓછામાં ઓછું નુકસાન થશે. જાણો આ ટિપ્સ વિશે.
અલગ અલગ FDમાં કરો રોકાણ
FD લેડરિંગ સારો વિકલ્પ છે. જો તમે 5 લાખ રૂપિયાની કુલ FD કરવાનું વિચારી રહ્યા છો. તો એવામાં તમારે 1-1 લાખ રૂપિયાની 5 અલગ અલગ સમયગાળા માટે FD કરાવો. આવી સ્થિતિમાં તમને ઈમર્જનસીના સમયે પૈસા તોડવામાં મુશ્કેલી નહીં પડે.
આ કારણે જો તમને સમયમર્યાદા પહેલા 2 લાખ રૂપિયાની અચાનક જરૂર પડે તો તમે માત્ર બે FD તોડશો અને બાકીની ત્રણ FD પર તમને સંપૂર્ણ વ્યાજનો લાભ મળશે. આ સાથે તમને વિવિધ બેંકોમાં નાણાંનું રોકાણ કરવા માટે વિવિધ પ્રકારના વધારાના લાભો પણ મળશે.
ઈમર્જન્સીમાં ઓછુ નુકસાન થશે
જો તમે 10 લાખ રૂપિયા જેવી મોટી રકમની એક સાથે FD કરો છો. તો તમને 30 ટકા ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ કપાશે. આનાથી તમને વ્યાજ પર વધુ નફો નહીં મળે. તેથી નાની રકમમાં ભલે ઓછો વ્યાજ દર મળે પણ તમારે ઓછો ટેક્સ ચૂકવવો પડશે અને ઈમર્જન્સીની સ્થિતિમાં ઓછું નુકસાન થશે.
બેન્કની ખાસ યોજનાનાં કરો ઈન્વેસ્ટ
જો તમે લાંબા સમય સુધી બેંકમાં FD માટે પ્લાન કરી રહ્યા છો. તો આવી સ્થિતિમાં તમે બેંકની ખાસ યોજનાઓ જેમ કે 444 દિવસ, 659 દિવસ, 888 દિવસ વગેરેમાં રોકાણ કરીને વધુ લાભ મેળવી શકો છો. આમાં ઘણી વખત તમને વધુ વ્યાજ દર જેવા વધારાના લાભો મળે છે.
નાની ફાઈનાન્સ બેન્કોમાં કરો રોકાણ
જો તમે FD પર વધુ વળતર મેળવવા માંગતા હોવ તો તમે મોટી બેંકોને બદલે નાની ફાઇનાન્સ બેંકોમાં FD કરી શકો છો. મોટાભાગની નાની ફાઇનાન્સ બેંકો મોટી બેંકો કરતા વધુ વ્યાજ દર ઓફર કરે છે. આ સાથે ગ્રાહકોને વધારાના વીમા કવચની સુવિધા પણ મળે છે.