ફેસ્ટિવ સીઝનમાં નવા નવા સ્માર્ટફોન બજારમાં આવી ગયા છે. આપણે જ્યારે ફોન લેવા જઈએ છે ત્યારે તેની બેટરી કેટલા એમએએચની છે તે પૂછીએ છીએ. ફોનની બેટરી ખૂબ જ મહત્વ ધરાવે છે. જેથી આજે અમે તમને જણાવીશું કે બેટકી ચાર્જ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
ફોનને ચાર્જ કરતી વખતે આટલું ધ્યાન રાખો
આ ભૂલ કરવાથી થશે નુકસાન
ફોનની બેટરી ખૂબ જ મહત્વ ધરાવે છે
રાતે ચાર્જિંગ લગાવીને મૂકી દેવું નહીં
ઘણાં લોોકોમાં ફોનને ચાર્જિંગમાં લગાવીને છોડી દેવાની આદત હોય છે. પણ આવું કરવાથી બેટરી ઓવરચાર્જ થઈ જાય છે અને તેના કારણે ફોનના પર્ફોમન્સ પર પણ અસર પડે છે.
ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરવો
દરેક કંપની ફોન માટે ખાસ ચાર્જર બનાવે છે. ઘણીવખત લોકો ફોનના ઓરિજિનલ ચાર્જરમાં ચાર્જ કરવાની જગ્યાએ કોઈપણ ચાર્જરનો ઉપયોગ કરી લે છે. આવું કરવાથી બેટરી અને ફોન બંનેને નુકસાન પહોંચે છે.
કવર કાઢીને ફોનને ચાર્જ કરો
ફોનને પ્રોટેક્ટ કરવા માટે લોકો દમદાર કવર પણ લગાવે છે. જેથી કવરની સાથે જ ફોનને ચાર્જ કરવા પર બેટરી ગરમ થવાની સમસ્યા પણ થઈ શકે છે અને જો ચાર્જિંગ બંધ ન કર્યું તો બેટરી ફાટી પણ શકે છે. જેથી કવર કાઢીને ફોન ચાર્જ કરવો.
પાવર બેંકછી ચાર્જ કરતી વખતે ફોન યુઝ કરવો નહીં
ઘણીવખત લોકો પાવર બેંકથી ફોન ચાર્જ કરે છે અને આ દરમિયાન ફોન યુઝ પણ કરે છે. પણ આવું કરવાથી ફોનના પર્ફોમન્સ બેટરી ડિસ્પલેને એકસાથે નુકસાન પહોંચે છે. જેથી આવી ભૂલ કરવી નહીં