આ ભીના મોસમમાં શાકભાજી જલ્દીથી બગાડી જતા હોય છે. જેથી ખરાબ સ્મેલ આવતી હોય છે. સ્મેલ આવવાથી આપણને શાકભાજીથી ચીડ ચડે છે.
આજે અમે તમને જણાવશું કે ચોમાસામાં કેવી રીતે શાકભાજીને એકદમ ફ્રેશ કેવીરીતે રાખી શકાય જેથી તેમાથી ખરાબ સ્મેલ ન આવે અને એકદમ ફ્રેશ રહે.
સૌ પ્રથમ સૂકા અને ગળી ગયેલા પાનને તાજા શાકમાંથી તરત જુદા કાઢી લો. નહી તો શાક ખરાબ થઈ શકે છે. જો શાકભાજીમાં ભીંડા હોય તો તેને સારી રીતે ધોઇ લો અને પછી તેને લુસી લો. ત્યારબાદ તેને કાપીને નેટબેગમાં રાખીને ફ્રિજમાં મુકો.
ફ્લાવર અને બ્રોકલી હોય તો તેને ટોવેલમાં લપેટીને ફ્રિજમાં મુકો. તેથી તે તાજા રહેશે. આ ઉપરાંત પાનવાળા શાકને હંમેશા પેપરમાં લપેટીને મુકો જેથી તાજા રહેશે. શાકને બે દિવસથી વધુ ફ્રિજમાં ન મુકશો.