ચોમાસાની સિઝન હવે નજીક જાય છે ત્યારે અનેક સારી વસ્તુઓ ભેજને કારણે ખરાબ થતી જતી હોય છે. પરંતુ જો તમે તમારી બધી વસ્તુઓને આ ટિપ્સ ફોલો કરીને સાચવશો તો તમને અનેક સમસ્યાઓનું હલ ઝડપથી મળી જશે અને તમારા મની પણ બચશે..
– ચોમાસાના દિવસોમાં જે પડદાઓની જરૂર ન હોય તેને જુદા કરી મુકો. કારણ કે ચોમાસામાં જીવ-જંતુ કીડી-મકોડા ગરોળી વગેરે આ પડદામાં જ સંતાઈને બેસે છે.
– ચોમાસામાં જે વાસણો કે કપડા કામમાં ન આવતા હોય તેને બાંધીને પેક કરીને મુકી દો જેથી તેમાં ફંગસ ન પડે.
– વીજળીના જે ઉપકરણ કામમાં નથી આવી રહ્યા તેને પ્લગ કાઢીને મુકી દો. ઘણીવાર સ્વિચ ઓફ હોવા છતા વરસાદમાં કરંટ લાગે છે.
– જે અગાશી પર પાણી ટપકવાની આશંકા હોય અથવા તિરાડ પડી હોય તો તેને ઠીક કરાવી લો.
– ચોમાસામાં સિન્થેટિક કપડાં કાઢી લો કોટન કે જાડા કપડાં મુકી દો.
– ચોમાસામાં જાડા રૂંવાટીવાળા ટુવાલને બદલે પાતળા જલ્દી સુકાઇ જાય તેવા ટુવાલનો ઉપયોગ કરો.
– ઘઉં ચોખા વગેરેને બે-ત્રણ મહિનાના અંદાજ પ્રમાણે બહાર કાઢી લો. અને બાકી અનાજને સારી રીતે એટલે કે ભેજ ન જાય એવી રીતે પેક કરી દો. વરસાદમાં તેને ખોલશો નહી કારણ કે જો તેમાં હવા લાગી જશે તો અનાજમાં કીડા પડશે.
– અથાણું પણ નાની બોટલમાં કાઢીને મુકો. બાકીનુ અથાણું એવી જગ્યાએ મુકો જ્યા વરસાદની હવા ન લાગે.
– લોખંડની ખુરશીઓ તેમજ અન્ય સામાનને તેલ લગાવી દો.
– ઘરના અંધારા ખૂણામાં કીટનાશક દવા છાંટી દો. કારણ કે આવા સ્થાનમાં કીડા કે ઉધઈ જલદી લાગી જાય છે.
– વીજળીના તાર વગેરે દિવાલને અડી રહ્યા હોય તો તેને પેક કરાવી દો. વરસાદનુ પાણી પડવાથી તે ખતરનાક સાબિત થઈ શકે છે.