હિન્દુ ધર્મમાં પૂજાની સાથે સાથે મંત્ર નું વિશેષ મહત્વ રહેલું છે. શાસ્ત્રો મુજબ પૂજા-હવનમાં મંત્રના ઉચ્ચારણ વગરની પૂજા પૂરી થતી નથી. આપણા શાસ્ત્રો અનુસાર મંત્રોનો જાપ કરવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે.
ધાર્મિક ગ્રંથો મુજબ તેના બે પ્રકાર હોય છે. એક મંત્ર છે કે જે દરેક વ્યક્તિ તેનો જાપ કરી શકે અને બીજો અમુક વ્યક્તિઓથી જ જાપ કરવામાં આવે જેમ કે તંત્રિક સાધુ પૂજારી વગેરે. દરેક મંત્રના દરેક શબ્દનું પોતાનું ખાસ મહત્વ હોય છે.
જેથી એવું કહેવાય છે કે કોઈ પણ મંત્રનું ઉચ્ચારણ કરતી વખતે ચોક્કસ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. મંત્રોનું જપ કરતી વખતે મંત્રો પહેલા આત્મા પરમાત્મા પર અસર કરે છે. જો આપણે મંત્રોને યોગ્ય રીતે કરીએ તો આપણને તેના લાભ મળે છે પણ જો મંત્રને બોલાવવામાં ભૂલ થાય તો આપણને લાભની બદલે નુકશાન થાય છે. જેથી કોઈ પણ મંત્રનું ઉચ્ચારણ ખરાબ લાગણી સાથે થવું ન જોઈએ.
મંત્રને અનુસરવા માટે યોગ્ય સ્થાન પસંદ કરવું તે ખૂબ મહત્વનું છે. આસન પર બેસીને મંત્રનો ઉચ્ચાર કરી શકાય છે. જેથી બેસવાનું આસન સફેદ અથવા કાળા રંગનું હોવું જોઈએ.
મંત્રોનું ઉચ્ચરણ કરતી વખતે તે ધ્યાન રાખવું જોઈએ કે માળા ચોક્કસપણે હોવી જરૂરૂ છે. જે માટે ચંદન અને રુદ્રાક્ષની માળાનો ઉપયોગ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.