હિંદૂ ધર્મમાં મહાશિવરાત્રિ એક પવિત્ર તહેવાર છે, જે આ વર્ષે 4 માર્ચના ઉજવાશે. મહાશિવરાત્રિનું મહત્વ એટલા માટે છે કેમકે આ શિવ અને શક્તિના મિલનની રાત છે. શિવપુરાણના રૂદ્રસંહિતામાં જણાવવામાં આવ્યુ છે કે, આ દિવસે શિવજીની પૂજા દરમિયાન ઘણી બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ, જેનાથી ન તો માત્ર શિવજી પૂજા પૂરી થાય છે પરંતુ તેમના આશીર્વાદ પણ મળે છે. શિવરાત્રિના આ પર્વ પર શિવ ભક્ત પૂરા શ્રદ્ઘાભાવથી ઉપવાસ રાખે છે, આ દિવસે શિવ મંદિરોમાં ભક્તોની પણ ઘણી ભીડ જોવા મળે છે. જાણીએ, શિવપુરાણમાં શિવજીની પૂજા દરમિયાન કઇ બાબતોનું વિશેષ ધ્યાન રાખવુ જોઇએ...
મહાશિવરાત્રિ પર શિવલિંગનો અભિષેક શેરડીના રસથી કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને સાથે તમામ પ્રકારની શત્રુતાથી મુક્તિ મળે છે. શિવલિંગ પર શેરડીનો રસ ચઢાવતા સમયે ઓમ નમ: શિવાયનો જાપ કરવો જોઇએ.
શિવલિંગ પર તમે તીર્થના જળનો અભિષેક કરી શકો છો, તમને મોક્ષની પ્રાપ્તિ થશે. આ સાથે જ સંબંધિત રોગો અને દોષોનો પણ અંત આવે છે, જીવનમાં ચમત્કારિક બદલાવ પણ આવવા લાગે છે.
ભગવાન શિવનું જો પતિ-પત્ની બંને મહાશિવરાત્રિ પર દૂધથી અભિષેક કરે છે તો સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે. બ્રાહ્મણોની સાથે ગરીબ તથા જરૂરિયામંદોને પણ ભોજન કરાવો, એવું શિવપુરાણમાં કહેવામાં આવ્યુ છે.
મધથી ભગવાન શિવનો અભિષેક કરવાથી ન તો માત્ર ધનની પ્રાપ્તિ થાય છે પરંતુ તમામ બિમારીઓ દૂર થઇ જાય છે. આરોગ્યના સુખ માટે આ અભિષેક ઉત્તમ માનવામાં આવ્યો છે.
શિવપુરાણમાં બતાવવામાં આવ્યુ છે કે, ધીની ધારાથી ભગવાન શિવના સહસ્ત્ર નામોથી અભિષેક કરવા પર વંશનો વિસ્તાર થાય છે અને શર્કરા મિશ્રિત દૂધથી અભિષેક કરવા પર જડબુદ્ઘિથી શ્રેષ્ઠબુદ્ઘિમાં પરિવર્તિત થાય છે.
મહાશિવરાત્રિ પર ભગવાન શિવના સાબુદાણા ચઢાવવા પર તમને દેવામાંથી મુક્તિ મળે છે અને સાથે જ તમે ચોખાથી શિવલિંગ પર શ્રૃંગાર કરી તેની પૂજા કરવાથી તમારી કુંડળીનો મંગળ દોષ શાંત થાય છે.