મંગળવારે હનુમાનજીને પૂજવામાં આવે છે. ત્યારે હનુમાન મંદિરમાં બેસીને રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરવાથી પરેશાનીઓથી બચાવ થશે. ચમેલીના તેલમાં પીળું સિંદૂર મિક્સ કરીને ચઢાવવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે.
મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિની તમામ સમસ્યાઓ દૂર થાય છે. એનાથી નકારાત્મક શક્તિઓથી પણ બચાવ થાય છે. જો આજના દિવસે જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલા કેટલાક ખાસ ઉપાય અજમાવો છો તો આ સમસ્યાથી બચી શકો છો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારના દિવસે બજરંગ બાણનો પાઠ કરવો જોઇએ. એનાથી વ્યક્તિપર હનુમાનજીની કૃપા થશે. એનાથી એના જીવનમાં આવી રહેલી પરેશાનીઓ ખતમ થઇ જશે.
જો કોઇને પણ હંમેશા ખરાબ સપના આવે છે અથવા કોઇ પણ કામ કોઇ પણ સમસ્યા વગર પૂરા થઇ શકતા નથી તો મંગળવારના દિવસે હનુમાનજીના પગમાં થોડી ફટકડી રાખી મૂકો, એનાથી મુસીબતોથી બચી શકાશે.
જો તમે કોઇ ઇન્ટરવ્યૂમાં અથવા કોઇ મહત્વપૂર્ણ કાર્ય કરવા જઇ રહ્યા છો તો હનુમાનજીને કેવડનું પાન અને ગુલાબની માળા ચઢાવીને ડાવ, એનાથી તમને સફળતા મળશે.
જીવનમાં તરક્કી મેળવવા માટે મંગળવારના દિવસે ઓમ હં હનુમંતયે નમ: મંત્રનો 108 વખત જાપ કરો. એનાથી હનુમાનજીની તમારી પર કૃપા રહેશે.
સંતાન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે મંગળવારના દિવસે હનુમાનજીને બૂંદીના બે લાડવા ચઢાવો. આવું કરવાથી તમારી સમસ્યા દૂર થશે.