વાસ્તુ શાસ્ત્રનું જો સારી રીતે પાલન કરવામાં આવે તો વ્યક્તિ સરળતાથી સુખદ-સફલ જીવન જીવી શકે છે. તેને કામમાં સફળતા મળે છે, મહેનતનુ સંપૂર્ણ ફળ મળે છે. જે તેને ઝડપથી પ્રગતિ અને ખૂબ ધન લાભ કરાવે છે. આ સાથે આ તેના સંબંધોને પણ વધુ શ્રેષ્ઠ બનાવે છે.
વાસ્તુ શાસ્ત્રનું સારી રીતે પાલન કરવામાં આવે તો જીવન ઝગમગશે
ઘરમાં માટીના માટલા અને જગમાં પાણી રાખવાથી થશે ધન લાભ
ઝડપથી આર્થિક ઉન્નતિ ઈચ્છતા હોય તો બસ કરો આટલુ કામ
માટીનુ માટલુ-જગ બદલી નાખે છે નસીબ
આજે ગરમીના દિવસમાં મોટાભાગના ઘરમાં ઉપયોગમાં લેવાતા માટલા-જગ સાથે જોડાયેલા અમુક સરળ ઉપાય જાણીએ છીએ. જો કે, ફ્રીજ, વૉટર કૂલર વગેરેના વધી રહેલા ઉપયોગ માટલા-જગના ઉપયોગને ઓછો કરી દીધો છે. જ્યારે ઘરમાં તેનુ હોવુ અત્યંત શુભ હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં માટીના વાસણોને ખૂબ શુભ માનવામાં આવ્યાં છે. જે મુજબ ઘરમાં માટીના વાસણ, માટલા અને જગમાં માં લક્ષ્મીનો વાસ હોય છે. પરંતુ તેના માટે જરૂરી છે કે તેને યોગ્ય સ્થાને રાખવામાં આવે. આ સાથે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે. આ સિવાય અમુક અન્ય ઉપાયો પણ કરવામાં આવે. જો આ બધી બાબતોનુ પાલન કરવામાં આવે તો નાણાની દેવી માં લક્ષ્મીની કૃપાથી ઘરમાં વધુ ધન-વૈભવ હોય છે અને કોઈ પણ ચીજ વસ્તુની કમી રહેતી નથી.
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની ઉત્તર દિશામાં દેવતાઓનો વાસ હોય છે. તેથી આ દિશામાં પાણીથી ભરેલો જગ રાખવાથી દેવી-દેવતા પ્રસન્ન થઇને સુખ-સમૃદ્ધી આપે છે.
ઉત્તર દિશામાં માટલુ અથવા જગ રાખવાથી ઘરમાં ક્યારેય પણ પાણીની કમી થતી નથી. પરંતુ ધ્યાન રાખો કે તેને ક્યારેય ખાલી ના રાખો. પરંતુ જેવુ પાણી ખત્મ થાય કે તરત તેમાં પાણી ભરી દો.
ઘરમાં ક્યારેય પણ ખાલી માટલુ, જગ ના રાખો. આવુ કરવાથી મોટી નાણા હાનિ અથવા આર્થિક તંગીમાં નાખી શકે છે.
જો તમે ઝડપથી આર્થિક ઉન્નતિ ઈચ્છો છો તો તમે દરરોજ સાંજે તુલસીના છોડની પાસે માટીનો દીવો પ્રગટાવો. આવુ કરવાથી ઘરમાં ધન ધાન્યની કમી થતી નથી.