બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / kedarnath tiple to open on 17 may uttarakhand

જાહેરાત / કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક કેદારનાથ અને બદ્રીનાથ ધામના આ તારીખે ખુલશે કપાટ

Hiren

Last Updated: 02:16 PM, 11 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક સમા ભગવાન કેદારનાથ ધામના કપાટ 17મેથી ખુલી રહ્યા છે. ગત વર્ષે 1 લાખ 35 હજાર 23 શ્રદ્ધાળુએ કેદારનાથ ધામના દર્શન કર્યા હતા.

  • કેદારનાથ અને બદ્રીનાથ મંદિરના ખુલશે કપાટ
  • 17મી મેએ ખુલશે કેદારનાથ ધામના કપાટ
  • 18 મેએ બદ્રીનાથ ધામના પણ ખુલશે કપાટ

ઉત્તરાખંડ ચાર ધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડે આ જાણકારી આપી છે. 17મેના રોજ કેદારનાથ ધામના તો બીજી તરફ 18મેએ બદ્રીનાથ ધામના પણ કપાટ ખુલશે. કેદારનાથ ધામના કપાટ પરંપરા અનુસાર વૈદિક ઉચ્ચારણ સાથે 6 મહિના માટે બંધ કરવામાં આવ્યા હતા.

વરસાદ અને હિમવર્ષાના કારણે વિશ્વ પ્રસિદ્ધ 11મા જ્યોતિર્લિંગ ભગવાન કેદારનાથ ધામના કપાટ ભાઈ બીજના અવસર પર બંધ કરવામાં આવ્યા હતા. ગત વર્ષે 1 લાખ 35 હજાર 23 ભક્તોએ કેદારનાથ મંદિરના દર્શન કર્યા હતા. 

18 મેના રોજ ખુલશે બદ્રીનાથ મંદિરના કપાટ

ઉત્તરાખંડના ચમોલી ગઢવાલ જિલ્લામાં સ્થિત ચારધામોમાંથી એક બદ્રીનાથના કપાટ પણ 18મેના રોજ સવારે ખોલી દેવામાં આવશે. વસંત પંચમીના અવસરે નરેન્દ્રનગર રાજ મહેલમાં મંદિરના કપાટ ખોલવાના મુહૂર્તની જાહેરાત કરવામાં આવી હતી. 18 મેએ સવારે 4.15 વાગે બદ્રીનાથ મંદિર પણ ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Kedarnath uttarakhand કેદરાનાથ બદ્રીનાથ kedarnath
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ