ગત વર્ષોની સરખામણીએ આ વખતે ઓછી હેલિકોપ્ટર કંપનીઓને કેદારનાથ માટે ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી છે. ગયા વર્ષે 14 કંપનીઓને ઉડાન માટે મંજૂરી અપાઈ હતી, જ્યારે આ વખતે માત્ર નવ કંપનીઓને મંજૂરી મળી છે. કેદારનાથની યાત્રા ચારધામ યાત્રામાં સૌથી વધુ પડકારજનક અને મુશ્કેલ ગણાય છે. અહીં યાત્રીઓને ગૌરીકુંડથી કેદારનાથ સુધી 16 કિલોમીટર પગપાળા ચાલવું પડે છે.
કુદરતી આફત અને ભયંકર પૂર બાદ ભલે પવિત્ર યાત્રાધામ કેદારનાથ (Kedarnath Yatra) માં હેલિકોપ્ટર સેવાનો ક્રેઝ ઝડપથી વધ્યો હોય, પરંતુ હવે મોટા ભાગનાં યાત્રીઓ પગપાળા યાત્રાને પસંદ કરી રહ્યાં છે. ઘણા લોકો પગપાળા માર્ગ પરના પડકારોને કેદારનાથ યાત્રાનો અગત્યનો હિસ્સો પણ માને છે. આ માટે યાત્રાનાં આ ખાસ આકર્ષણથી તેઓ વંચિત રહેવા ઈચ્છતા નથી. આ વખતે હેલિકોપ્ટર (Helicopter) સેવા દ્વારા કેદારનાથ દર્શન માટે પહોંચાનારા યાત્રીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
ગત વર્ષોની સરખામણીએ આ વખતે ઓછી હેલિકોપ્ટર કંપનીઓને કેદારનાથ માટે ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી છે. ગયા વર્ષે 14 કંપનીઓને ઉડાન માટે મંજૂરી અપાઈ હતી, જ્યારે આ વખતે માત્ર નવ કંપનીઓને મંજૂરી મળી છે. કેદારનાથની યાત્રા ચારધામ યાત્રામાં સૌથી વધુ પડકારજનક અને મુસ્કેલ ગણાય છે. અહીં યાત્રીઓને ગૌરીકુંડથી કેદારનાથ સુધી 16 કિલોમીટર પગપાળા ચાલવું પડે છે.
બીજી તરફ ઑક્સિજનનો સ્તર ઓછો હોવાના કારણે સ્વાસ્થ્ય સંબંધી તકલીફોનો સામનો પણ કરવો પડતો હોય છે. આમ છતાં પણ યાત્રીઓમાં દર વર્ષે અદ્ભૂત ઉત્સાહ જોવા મળે છે.
આ વર્ષે કેદારનાથ ધામના કપાટ 9 મેના રોજ ખોલવામાં આવ્યા હતા અને 24 જૂન સુધીમાં 7,48,140 યાત્રીઓ બાબાના દર્શન કરી ચૂક્યાં છે. તેમાંથી 4,58,024 યાત્રી પગપાળા જ દર્શન કરવા પહોંચ્યા હતા. જ્યારે 2,38,982 યાત્રીઓ ઘોડા અને ખચ્ચર પર બેસીને બાબાના દરબારમાં પહોંચ્યા હતાં.
આ વર્ષે હેલિકોપ્ટરથી કેદારનાથ જનારા યાત્રીઓની સંખ્યા ફક્ત 51,134 હતી, જે દર વર્ષ કરતા ઘણી ઓછી છે. ચોમાસું શરૂ થતાંની સાથે જ હવામાનમાં આવેલા પલટા બાદ બે હેલિકોપ્ટર કંપનીઓ યુટી એર અને પવનહંસે તેની સેવા બંધ કરી દીધી છે. બાકીની સાત કંપનીઓ પણ 30 જૂન સુધીમાં સેવાઓનું સંચાલન બંધ કરી દેવાની છે. ગયા વર્ષે 1,09,023 યાત્રીઓએ હેલિકોપ્ટરથી કેદારનાથ આવીને દર્શન કર્યા હતા અને એ વખતે પગપાળા આવનારા યાત્રીઓની સંખ્યા 4,12,315 હતી.