બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Kedarnath Dham Kapat opened today with Vedic chanting after two years

હર હર મહાદેવ / શિવ ભક્તોમાં આનંદ: બે વર્ષ બાદ આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ, દસ હજારથી વધારે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

ParthB

Last Updated: 04:34 PM, 6 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેદારનાથ ધામના દરવાજા આજે વૈદિક મંત્રોચ્ચાર અને તમામ ધાર્મિક વિધિઓ સાથે ખોલવામાં આવ્યા હતા. લગભગ બે વર્ષ બાદ શ્રદ્ધાળુ બાબાના દર્શન કરી રહ્યા છે.

  • આજથી કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખુલ્યા 
  • ભક્તોને 6 મહિના સુધી બાબાના દર્શન થશે
  • પૂજારીઓએ બાબાને ભોગ અર્પણ કર્યા

 વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખુલ્યા 

કેદારનાથ ધામના દરવાજા આજે વૈદિક મંત્રોચ્ચાર અને તમામ ધાર્મિક વિધિઓ સાથે ખોલવામાં આવ્યા હતા. સવારે 6.26 કલાકે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી હાજર રહ્યા હતા. મંદિરને 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. કેદારનાથ ધામના દરવાજા ખોલવાના સમયે 10 હજારથી વધુ ભક્તો હાજર રહ્યા હતા. કોવિડને કારણે મંદિર બે વર્ષથી ભક્તો માટે બંધ હતું. લગભગ બે વર્ષ બાદ ભક્તો બાબાના દર્શન કરી રહ્યા છે.

ભક્તોને 6 મહિના સુધી બાબાના દર્શન થશે

ભક્તો હવે છ મહિના સુધી બાબા કેદારનાથના દર્શન અને પૂજા કરી શકશે. ગુરુવારે કેદારનાથની પંચમુખી ડોલી ભક્તોના ઉલ્લાસ વચ્ચે ધામમાં પહોંચી હતી. બાબાની ડોલી મંદિરની પાસે પૂર્ણ વિધિ સાથે મૂકવામાં આવી છે. મંદિરમાં પ્રથમ પૂજા PM નરેન્દ્ર મોદીના નામે કરવામાં આવી હતી. તે જ સમયે CM ધામીએ પૂજા અર્ચના કરીને બાબા કેદારના આશીર્વાદ લીધા હતા.

Koo App
आज प्रातः 6:25 बजे शुभ मुहूर्त में पारंपरिक धार्मिक अनुष्ठान एवं विधि-विधान अनुसार श्री केदारनाथ धाम के कपाट खोल दिए गए। असंख्य श्रद्धालुओं का उत्साह देखते ही बन रहा था। भगवान शिव को समर्पित इस धाम के दर्शन के लिए आप भी ’देवभूमि’ उत्तराखंड अवश्य आएं। हर-हर महादेव! #uttarakhandtourism #chardhamyatra2022 #gangotri #uttarakhandvibes #yamunotri #badrinath #majestichimalayas #majesticuttarakhand #simplyamazing #simplyheaven #simplymajestic #traveltales #TravelIndia #travelrealindia - Uttarakhand Tourism (@uttarakhand_tourismofficial) 6 May 2022

પૂજારીઓએ બાબાને ભોગ અર્પણ કર્યા

પૂજારીઓ અને વેદપાઠીઓએ મંદિરના ગર્ભગૃહની સફાઈ કરી અને બાબાને ભોગ ચઢાવ્યા. આ પછી મંદિરની અંદર પૂજા થઈ. આર્મી બેન્ડની ધૂન સાથે સમગ્ર કેદારનાથમાં બાબાનો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો. આ દરમિયાન CM ધામી સિવાય BKTCના સભ્યો પણ હાજર હતા.આજે સવારે 11 વાગ્યે વિઘિ-વિધાનની સાથે પંચકેદારના ત્રીજા ભગવાન તુંગનાથના દ્વારા ભક્તો માટે ખોલવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Kapat Kedarnath Dham Vedic chanting uttarakhand ઉત્તરાખંડ કપાટ કેદારનાથ ધામ ગુજરાતી ન્યૂઝ વૈદિક મંત્રોચ્ચાર uttarakhand
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ