Kedarnath Dham Kapat opened today with Vedic chanting after two years
હર હર મહાદેવ /
શિવ ભક્તોમાં આનંદ: બે વર્ષ બાદ આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ, દસ હજારથી વધારે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Team VTV08:11 AM, 06 May 22
| Updated: 04:34 PM, 06 May 22
કેદારનાથ ધામના દરવાજા આજે વૈદિક મંત્રોચ્ચાર અને તમામ ધાર્મિક વિધિઓ સાથે ખોલવામાં આવ્યા હતા. લગભગ બે વર્ષ બાદ શ્રદ્ધાળુ બાબાના દર્શન કરી રહ્યા છે.
આજથી કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખુલ્યા
ભક્તોને 6 મહિના સુધી બાબાના દર્શન થશે
પૂજારીઓએ બાબાને ભોગ અર્પણ કર્યા
વૈદિક મંત્રોચ્ચાર સાથે કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખુલ્યા
કેદારનાથ ધામના દરવાજા આજે વૈદિક મંત્રોચ્ચાર અને તમામ ધાર્મિક વિધિઓ સાથે ખોલવામાં આવ્યા હતા. સવારે 6.26 કલાકે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી હાજર રહ્યા હતા. મંદિરને 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. કેદારનાથ ધામના દરવાજા ખોલવાના સમયે 10 હજારથી વધુ ભક્તો હાજર રહ્યા હતા. કોવિડને કારણે મંદિર બે વર્ષથી ભક્તો માટે બંધ હતું. લગભગ બે વર્ષ બાદ ભક્તો બાબાના દર્શન કરી રહ્યા છે.
#WATCH केदारनाथ धाम के कपाट श्रद्धालुओं के लिए खोल दिए गए हैं। कपाट खुलने के मौके पर धाम में हजारों की संख्या में श्रद्धालु मौजूद रहे। pic.twitter.com/oAXwVl1cRU
ભક્તો હવે છ મહિના સુધી બાબા કેદારનાથના દર્શન અને પૂજા કરી શકશે. ગુરુવારે કેદારનાથની પંચમુખી ડોલી ભક્તોના ઉલ્લાસ વચ્ચે ધામમાં પહોંચી હતી. બાબાની ડોલી મંદિરની પાસે પૂર્ણ વિધિ સાથે મૂકવામાં આવી છે. મંદિરમાં પ્રથમ પૂજા PM નરેન્દ્ર મોદીના નામે કરવામાં આવી હતી. તે જ સમયે CM ધામીએ પૂજા અર્ચના કરીને બાબા કેદારના આશીર્વાદ લીધા હતા.
उत्तराखंड: वैदिक मंत्रोच्चार के साथ केदारनाथ धाम के कपाट खुले। इसमें मुख्यमंत्री पुष्कर सिंह धामी ने भी हिस्सा लिया। मंदिर को 15 क्विंटल फूलों से सजाया गया है। केदारनाथ धाम के कपाट खुलने के दौरान 10 हज़ार से ज्यादा श्रद्धालु मौजूद रहे। pic.twitter.com/FRtXmdhDgH
પૂજારીઓ અને વેદપાઠીઓએ મંદિરના ગર્ભગૃહની સફાઈ કરી અને બાબાને ભોગ ચઢાવ્યા. આ પછી મંદિરની અંદર પૂજા થઈ. આર્મી બેન્ડની ધૂન સાથે સમગ્ર કેદારનાથમાં બાબાનો જયઘોષ ગુંજી ઉઠ્યો હતો. આ દરમિયાન CM ધામી સિવાય BKTCના સભ્યો પણ હાજર હતા.આજે સવારે 11 વાગ્યે વિઘિ-વિધાનની સાથે પંચકેદારના ત્રીજા ભગવાન તુંગનાથના દ્વારા ભક્તો માટે ખોલવામાં આવશે.