ટીમ ઇન્ડિયાનો એક મોટો ખેલાડી ઇજાગ્રસ્ત થયો છે. વાસ્તવમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો ઑલ રાઉન્ડર કેદાર જાધવને ફિલ્ડીંગ દરમિયાન ઇજા પહોંચી છે. એની ઇજાને ટીમ ઇન્ડિયા માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
મોહાલીમાં રવિવારે રમાયેલી આઇપીએલની એક સ્પર્ધામાં વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ટીમ ઇન્ડિયાનો એક મોટો ખેલાડી ઇજાગ્રસ્ત થયો છે. વાસ્તવમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો ઑલ રાઉન્ડર કેદાર જાધવને ફિલ્ડીંગ દરમિયાન ઇજા પહોંચી છે. એની ઇજાને ટીમ ઇન્ડિયા માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
રવિવારે ચેન્નાઇ અને પંજાબ વચ્ચે રમાયેલી આ મેચમાં પંજાબની બેટિંગ દરમિયાન ઇનિંન્ગની 14મી ઓવરમાં જાધવને ઇજા પહોંચી છે. ત્યારબાદ ચેન્નાઇ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું કે સોમવારે કેદાર જાધવનો એક્સરે અને સ્કેન કરવામાં આવશે.
કોચ ફ્લેમિંગે કહ્યું કે મને વાગતું નથી કે આપણે જાધવને ટૂર્નામેન્ટની હાલની સિઝનમાં ફરીથી ચેન્નાઇ માટે રમતો જોઇ શકીશું. એમને કહ્યું કે જાધવ પરેશાનીમાં છે. એની આંગળીઓ વળી ગઇ હતી પરંતુ આ ખૂબ ગંભીર નથી, પરંતુ નાની ઇજા પણ નથી.
આ મેચમાં ફાફ ડુ પ્લેસિસ અને સુરેશ રૈનાની ધમાકેદાર ઇનિંન્ગ અને 120 રનની ભાગીદારીથી ચેન્નાઇ સુપરકિંગ્સે 5 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા. ત્યારબાદ કિંગ્સ ઇલેવન પંજાબ બેટિંગ માટે ઊતરી, આ વચ્ચે બીજી ઇનિંન્ગની 14મી ઓવરમાં પહેલા જાધવને ઇજા પહોંચી અને પછી પૂરન અને બ્રાવો એકબીજા સામે ટકરાયા.
વાસ્તવમાં, બ્રાવોએ 14મી ઓવરનો બીજો બોલ નાંખ્યો જેની પર નિકોલસ પૂરને શૉટ માર્યો. ત્યારબાદ જાડેજાએ બોલને થ્રો કર્યો, જેને પકડવા માટે કેદાર જાધવ દોડ્યો અને ચોગ્ગો બચાવવા માટે છલાંગ મારી, એ દરમિયાન તેને ઇજા પહોંચી.
ઉલ્લેખનીય છે કે આગામી આઇસીસી વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાં ઑલ રાઉન્ડર કેદાર જાધવનું નામ પણ સામેલ છે. એવામાં આઇપીએલની મેચમાં એને ઇજા થયા બાદ ટીમ ઇન્ડિયા માટે સમસ્યા વધી શકે છે. વર્લ્ડ ટૂર્નામેન્ટ રવાના થતા પહેલા જો એને સારું નહીં થાય તો ઋષભ પંતને તક મળી શકે છે. સિલેક્ટર્સે ઋષભ પંતને હાલ સ્ટેન્ડબાઇ પર રાખવામાં આવ્યો છે.