ભારતીય ક્રિકેટ ટીમના મિડલ ઓર્ડરના બેટ્સમેન કેદાર જાધવને ફિટ જાહેર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કેદાર જાધવને વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવ્યો હતો અને તે IPLના દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 22 મેના તે બાકીની ટીમ સાથે વર્લ્ડ કપમાં શામેલ થવા માટે લંડન જવા રવાના થશે.
IPLમા ચેન્નાઇ સુપર કિંગ્સની સાથે છેલ્લી લીગ મેચ દરમિયાન 34 વર્ષનો ક્રિકેટર ઇજાગ્રસ્ત થયો હતો. આઉટ ફિલ્ડમાં ફિલ્ડિંગ કરતા તેણે ડાઇવ મારી હતી અને તેના ખંભામાં ઇજા થઇ હતી. તે પછી તે પ્લેઓફમાં રમ્યો ન હતો. શરૂઆતમાં ઇજા એટલી ગંભીર ના લાગી પરંતુ રિકવરી થવામાં ઘણો સમય લાગ્યો.
ટીમ ઇન્ડિયાના ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટે તેનો ફિટનેસ રિપોર્ટ BCCIને સોંપી દીધો છે. જાધવ અને ફરહાર્ટ છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં હતા. આ દરમિયાન તેઓ મુંબઈ ક્રિકેટ એસોસિએશન(એમસીએ)ના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ફિટનેસ ઉપર કામ કરી રહ્યા હતા. અહીંયા જ જાધવે પોતાનો ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો હતો.