પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિવાદનો અંત લાવ્યા બાદ રાજસ્થાન કોંગ્રેસમાં પણ વિવાદ વધવાની અટકળો એકદમ વધી ગઈ છે
રાજસ્થાન કોંગ્રેસમાં પણ વિવાદ
ફેરબદલ અને વિસ્તરણ આ જ મહિનામાં થાય તેવી સંભાવના
કોંગ્રેસ હાઇકમાન્ડની નજર રાજસ્થાન પર
રાજસ્થાન કોંગ્રેસમાં પણ વિવાદ
પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિવાદનો અંત લાવ્યા બાદ રાજસ્થાન કોંગ્રેસમાં પણ વિવાદ વધવાની અટકળો એકદમ વધી ગઈ છે અને પાર્ટી સંગઠનના મહાસચિવ કેસી વેણુગોપાલે શુક્રવારે જયપુર પહોંચી ગયા છે. સૂત્રોએ તે પણ જણાવ્યું છે કે રાજસ્થાનમાં કોંગ્રેસ પ્રભારી અજય માકન પણ જયપુર પહોંચી ગયા છે. પાર્ટી સાથે જોડાયેલ સૂત્રોએ જણાવ્યું છે કે મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ કરવાની અટકળો વચ્ચ કોંગ્રેસના બંને નેતાઓ રાજસ્થાન જઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે અશોક ગેહલોત મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ આ જ મહિનામાં થાય તેવી સંભાવના છે.
ફેરબદલ અને વિસ્તરણ આ જ મહિનામાં થાય તેવી સંભાવના
આ બાજુ જયપુરમાં મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોએ જાણકારી આપી, "હાલમાં તો ગેહલોતનો દિલ્હી જવાનો કોઈ પણ પ્લાન નથી. ઓછામાં ઓછા એક બે દિવસતો ક્યાંય નથી જઈ રહ્યા. તેમણે વેણુગોપાલની ગેહલોત સાથેની સંભવિત મુલાકાત વિશે કહ્યું કે કોંગ્રેસ સંગઠનના મહાસચિવના કાર્યક્રમ હજી અમને નથી મળ્યો. માનવામાં આવી રહ્યું છે કે અજય માકન અને વેણુગોપાલની ગેહલોત સાથેની મુલાકાત બાદ રાજ્યમાં મંત્રીમંડળ વિસ્તરણની અટકળોનું પરિણામ બહાર આવી શકે.
કોંગ્રેસ હાઇકમાન્ડની નજર રાજસ્થાન પર
કોંગ્રેસના સૂત્રોના કહ્યા મુજબ પંજાબના વિવાદ બાદ હવે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીનું સંપૂર્ણ ધ્યાન રાજસ્થાન પર છે અને માકનને કહેવામાં આવ્યું છે કે રાજસ્થાનમાં આંતરિક વિવાદનું સમાધાન જુલાઇ મહિનામાં જ આવી જવું જોઈએ.