પીએમ મોદીની કેબિનેટના શપથ બાદ જદયૂ અને ભાજપ વચ્ચે ખટરાગ સામે આવ્યો છે. પીએમ મોદીના કેબિનેટમાં જદયૂ સામેલ ન થયું, ત્યારે બીજી તરફ એનડીએના તમામ સહયોગી પાર્ટીને એક-એક મંત્રી પદ આપવામાં આવ્યું છે. પહેલા ચર્ચા હતી કે જદયૂને એક કેબિનેટ અને એક રાજ્યમંત્રીનું પદ આપવામાં આવશે પરંતુ બાદમાં જાણવા મળ્યું કે જદયૂ કેબિનેટમાં સામેલ થઇ નથી.
પીએમ મોદીના કેબિનેટ બાદ હવે રવિવારે નીતિશ કુમારે પોતાના કેબિનેટનો વિસ્તાર કર્યો. 8 નવા મંત્રીઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા. પરંતુ આ તમામ મંત્રી જદયૂથી સામેલ છે. ભાજપના કોઇપણ મંત્રીને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ભાજપની એક જગ્યા ખાલી પડી છે.
આ દરમિયાન જદયૂ નેતા કેસી ત્યાગીએ કહ્યું કે, અમે નિર્ણય લીધો છે કે આગળ ક્યારેય એનડીએના મંત્રીમંડળમાં સામેલ થઇશું નહીં. ન્યુઝ એજન્સી એએનઆઇએ ત્યાગીના હવાલાથી લખ્યું કે, 'જે પ્રસ્તાવ આપવામાં આવ્યો છે, એ જેડીયૂને અસ્વીકાર્ય હતો. તેથી અમે નક્કી કર્યું કે ભવિષ્યમાં જેડીયૂ ક્યારેય પણ એનડીએના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળનો હિસ્સો નથી થાય. આ અમારો અંતિમ નિર્ણય છે.'
બીજી તરફ બિહારના ઉપ મુખ્યમંત્રી અને બિહાર ભાજપ અધ્યક્ષ સુશીલ મોદીએ સ્પષ્ટતા કરી છે. એમણે ટ્વિટ કરતા લખ્યું કે, 'નીતિશ કુમારે ભાજપ પાર્ટીની ખાલી પડેલી બેઠકને ભરવાની ઓફર આપી હતી. પરંતુ ભાજપે તેને ભવિષ્યમાં ભરવાનો નિર્ણય લીધો છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, બિહારમાં બધુ જ બરાબર છે. અને કોઇપણ પ્રકારનો ભ્રમ કોઇએ મનમાં રાખવો ન જોઇએ. કેબિનેટના વિસ્તાર બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, વિધાનસભાનું સત્ર આવવાનું છે. તેથી તેનો વિસ્તાર થયો છે.
એમણે કહ્યું કે, જનતા દળ યૂનાઇટેડ તરફથી આઠ લોકોના પદ ખાલી હતા તેથી કેટલાક લોકો પર મંત્રાલયનો ભાર પડતો હતો, જેને ઓછો કરવા માટે મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવ્યો છે. નીતિશ કુમારે કહ્યું કે, જ્યારે ગઠબંધન બને છે તો એ સમયે જ વિભાગ અને સંખ્યા પણ નક્કી થઇ જાય છે.