'કૌન બનેગા કરોડપતિ 11'માં ઓડિસાના અવિનાશ કુમાર મહંતાને નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો. હકીકતમાં અવિનાશે કોઈપણ લાઈફલાઈનનો ઉપયોગ કર્યા વિના 10 સવાલોના જવાબ આપી દીધા હતા અને 3 લાખ 20 હજાર રૂપિયા જીતી લીધા હતા, પરંતુ 12 લાખ 50 હજારના પ્રશ્નમાં અટવાતા તેમણે પહેલી લાઈફલાઈનનો ઉપયોગ કર્યો હતો. અમિતાભ પણ તેમના જ્ઞાનથી ઘણાં પ્રભાવિત જોવા મળ્યા હતા. 12 લાખ 50 હજારના પ્રશ્ન પર તેમણે ફ્લિપથી ક્વેશ્ચન લાઈફલાઈનનો ઉપયોગ કર્યો.
ઓડિયન્સ પોલ લાઈફલાઈન પડી ભારે
12 લાખ 50 હજારનો જવાબ પડ્યો ખોટો
શરૂઆતથી બેસ્ટ ગેમ રમવા છતાં મળી હાર
જોકે, અવિનાશે જે જવાબ વિચાર્યો હતો તે સાચો હતો પણ તે કોઈ રિસ્ક લેવા નહોતો માગતો જેથી તેણે આ સવાલ ફ્લિપ કરી દીધો હતો. સવાલ ફ્લિપ થયા બાદ ક્રિકેટથી જોડાયેલો સવાલ પૂછવામાં આવ્યો અને આ સવાલમાં તે કન્ફ્યૂઝ થઈ ગયા. સવાલ હતો 'વિદેશી ભૂમિ પર ભારત તરફથી પહેલી સદી ફટકારનાર ખેલાડી કોણ હતો'? અવિનાશ ક્રિકેટના શોખીન હોવા છતાં આ સવાલમાં કન્ફ્યૂઝ થઈ ગયા અને તેમણે વધુ એક લાઈફલાઈનનો ઉપયોગ કરતા ઓડિયન્સ પોલનો ઉપયોગ કર્યો.
અમિતાભે આપી હતી સલાહ
અમિતાભે તેમને ચેતવણી પણ આપી હતી કે 12 લાખ 50 હજારનો સવાલ મુશ્કેલ હોય છે અને જરૂરી નથી કે ઓડિયન્સનો અંદાજ સાચો હોય. જો કે, તેમ છતાં, તેમણે ઓડિયન્સ પોલનો ઉપયોગ કર્યો અને ઓડિયન્સે ત્રીજા ઓપ્શનને સૌથી વધુ એટલે કે 39 ટકા વોટ મળ્યા. અવિનાશે ઓડિયન્સ સાથે જવાનો નિર્ણય લીધો. તેમણે ઓપ્શન સી એટલે કે લાલા અમરનાથ સિલેક્ટ કર્યો, જોકે, આ ઓપ્શન ખોટો હતો અને આ સવાલથી જોડાયેલ સાચો જવાબ સૈયદ મુસ્તાક અલી એટલે કે ઓપ્શન બી હતો. આ રીતે બેસ્ટ ગેમ રમવા છતાં તેઓ ફક્ત 3 લાખ 20 હજારમાં જ જીતવામાં સફળ થયા અને શોને અલવિદા કહ્યું.