ઉત્તર પ્રદેશના કૌશામ્બી જનપદમાં કડાઘામ કોતવાલીના દેવીગંજ ચાર રસ્તા પર બુધવારે સવારે ભીષણ રોડ અકસ્માત થયો હતો. જેમાં 8 લોકોના મોત થયા હતા. રોડના કિનારે ઉભેલી કાર પર ગ્રીટ(પથ્થર તોડીને બનતી કકરી રેતી) ભરેલો ટ્રક રોડના કિનારા પર પાર્ક કાર પર પલટાઈ ગયો હતો. આ ઘટનામાં કાર સવાર 8 લોકોના મોત થયા હતા. અત્યારે પણ 2 લોકો ત્યાં ફસાયેલા છે. હાલમાં સ્થળ પર ભારે સંખ્યામાં પોલીસકર્મીઓ હાજર છે અને ગેસ કટરની મદદથી ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે.
લગ્નના સમારોહમાં જઈને પાછા ફરી રહ્યા હતા મૃતકો
ઘટનામાં અધિકારીની પત્ની અને દીકરીનું પણ મોત થયું
ટ્રકમાં ગ્રીટ ભરેલી હતી જેથી તે કાર સવાર બહાર ન નીકળી શક્યા
લગ્નના સમારોહમાં જઈને પાછા ફરી રહ્યા હતા મૃતકો
મૃતકોમાં મહિલાઓ, બાળકો સહિત પુરુષોનો સમાવેશ થયો છે. આ તમામ સ્થાનીક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે એક લગ્ન પ્રસંગમાંથી પાછા ફરી રહ્યા હતા. સ્થળ પર હાજર ડીએમ અમિત સિંહે 8 લોકોના મોત થાયની ખરાઈ કરી છે. 7 લોકોના સ્થળ પર મોત થયા છે. જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. મળતી માહિતી મુજબ ટ્રકનું ટાયર ફાટી જતા ઘટના ઘટી હતી. ટ્રકમાં ગ્રીટ ભરેલી હતી. જેના કારણે તે કાર સવાર બહાર ન નીકળી શક્યા. ડીએમએ જણાવ્યું કે આ કેસની તપાસ થઈ રહી છે. પીડિત પરિવારને શક્ય મદદ કરવામાં આવશે.
ઘટનામાં અધિકારીની પત્ની અને દીકરીનું પણ મોત થયું
મળતી જાણકારી મુજબ કોખરાજના શહજાદપુરથી તમામ જાનૈયા ભાગ લેવા માટે આવ્યા હતા. જાન સિરાથૂમાં તૈનાત ગ્રામ્ય રેકોર્ડ રાખનાર અધિકારના ઘરેથી આવી હતી. આ ઘટનામાં અધિકારીની પત્ની અને દીકરીનું પણ મોત થયું છે.