ડિસેમ્બર 2021 લગ્ન કર્યાં બાદ વિકી કૌશલ અને કેટરિના કૈફ મુંબઈના જુહુમાં આવેલા એક નવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયું હતું, જ્યાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેમના પાડોશી છે. કેટરિના અને વિકીના લગ્ન બાદ અનુષ્કા શર્માએ આ કપલને અભિનંદન પાઠવ્યા હતા, અને તેના મેસેજે કન્ફર્મ કર્યું હતું કે તેઓ પાડોશી છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં અનુષ્કા શર્માએ જણાવ્યું હતું કે વિકી અને કેટરિનાએ તેને અને વિરાટ કોહલીને તેમના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. પછી શું થયું તેને લઈને હવે અનુષ્કાએ ફોડ પાડ્યો છે.
પરિવાર અને નજીકના મિત્રો સાથે સમય પસાર કરવામાં આનંદ
એક મુલાકાતમાં અનુષ્કા શર્માએ કહ્યું હતું કે તે સામાજિક રીતે થોડી મળતાવડી નથી અને તેને પાર્ટીઓમાં બહાર જવાની મજા આવતી નથી. જો કે, તેણે કહ્યું કે તે કેટલાક મિત્રોને તેના ઘરે ડિનર અને ઘરે બનાવેલા ભોજન માટે બોલાવવાનું પસંદ કરે છે. આ વિશે વાત કરતાં, તેણીએ કહ્યું કે તે મોટેથી, ઘોંઘાટવાળી પાર્ટીઓનો આનંદ માણતી નથી અને જેમ જેમ તે મોટી થઈ છે, તેમ તેમ તે જેની સાથે સમય વિતાવી રહી છે તેની સાથે સંબંધ ગાઢ બનાવે છે. અનુષ્કાએ કહ્યું હતું કે પરિવાર અને નજીકના મિત્રો સાથે સમય પસાર કરવામાં તેને આનંદ આવે છે.
સાંજના 6 વાગ્યે ડિનર, 9.30 ઊંઘી જવાનું- અનુષ્કા
અનુષ્કાએ એમ પણ જણાવ્યું હતું કે તે અને વિરાટ સાંજે 6 વાગ્યા સુધીમાં ડિનર પૂરુ કરી દે છે અને કોઈ પણ ભોગે 9.30 વાગ્યે સૂઈ જાય છે. આ જ કારણ છે કે જ્યારે તેમના પાડોશીઓ કેટરિના કૈફ અને વિકી કૌશલે તેમને ડિનર માટે આમંત્રિત કર્યા ત્યારે અનુષ્કાએ કેટરિનાને કહ્યું હતું કે તેમને તરત જવું પડશે કારણ કે હંમેશ મુજબ તેમના સુવાનો ટાઈમ થઈ ગયો છે. અનુષ્કાએ હસતાં હસતાં કહ્યું, "તો મેં [કેટરિનાને] કહ્યું, તમારા માટે અમે 7-7:30 વાગ્યે જમીશું, પરંતુ અમારે ટૂંક સમયમાં જ જવું પડશે. તેથી તે ઠીક છે, તમે ડિનર લઈ લેશો અને હું અને વિકી નાસ્તો કરીશું.
શાહરૂખ ખાન મારો સ્વભાવ જાણે છે
અનુષ્કાએ કહ્યું કે શાહરૂખ ખાન તેનો ઓછા હળવા-ભળવાનો સ્વભાવ જાણ છે અને તેથી જ તે તેને પાર્ટીઓમાં આમંત્રણ આપતો નથી. હું મળતાવડી નથી તેવું શાહરુખન જાણે છે.