જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ-તેમ કોંગ્રેસની સ્થિતિ કથળતી હોવાનું સામે આવી રહ્યું છે. દિવસેને દિવસે કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો ભાજપના રંગે રંગાઈ રહ્યા હોવાથી ભાજપનું કોંગ્રેસીકરણ થઇ રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. તેવામાં મહેસાણાના કટોસણના રાજવી પરિવારના યુવરાજ ધર્મપાલસિંહે કેસરિયા કર્યા છે. સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાના NSUI પ્રમુખ ધ્રુવરાજસિહ ચુડાસમા પણ આજે ભાજપમાં જોડાયા હતા.
ભાજપમાં વેગ પકડતો ભરતી મેળો
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી વચ્ચે ભાજપમાં ભરતીમેળો વેગ પકડી રહ્યો છે. કોંગી નેતાઓ, તબીબો, અધ્યાપકો બાદ આજે કોંગ્રેસની વિધ્યાર્થી પાંખના આગેવાનો પણ ભાજપની વિચારધારાથી પ્રભાવિત થયા હતા. જેને લઈને કોંગ્રેસમાં વધુ એક વખત ભંગાણ સર્જાયું છે. આજે રાજવી પરિવારના યુવરાજ ધર્મપાલસિંહ ઝાલા ઉપરાંત સુરેન્દ્રનગર NSUI પ્રમુખ ધ્રુવરાજસિંહ ચૂડાસમા, ધર્મપાલસિંહ ઝાલા, કટોસણ ઠાકોર, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી કૃષ્ણરાજસિંહ ઝાલા, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ મંત્રી વિજયરાજસિંહ જાડેજા, સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ મહામંત્રી મયુરસિંહ ચુડાસમા, ચોટીલા NSUI પ્રભારી શુભમ જાની, મુળી NSUI પ્રભારી વિશ્વરાજસિંહ ઝાલા, સાયલા NSUI પ્રભારી હર્ષિલ આદ્રોજા, થાનગઢ NSUI પ્રભારી યોગીરાજસિંહ રાણા, લખતર NSUI પ્રભારી વિરમ ભરવાડ, ચૂડા NSUI પ્રભારી કુમારપાલસિંહ જાડેજા, મિત શાહ, લીમડીના પાર્થરાજસિંહ ઝાલા, ધ્રાંગધ્રાના બકુલ ઉધરેજીયા તથા NSUIના લકીરાજસિંહ પરમાર, પ્રતિક બારોટ, કરણસિંહ રાણા સહિતના આજે ભાજપમાં જોડાયા છે.
પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ના નેતૃત્વમાં NSUI, યુથ કોંગ્રેસના અગ્રણી નેતા તેમજ સામાજિક આગેવાનો અને તેમના સમર્થકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. pic.twitter.com/zumkc9YX05
૩૦૦ જેટલા કોંગ્રેસના વિધ્યાર્થી પાંખના આગેવાનો-કાર્યકરો ભાજપમાં થયા સામેલ
મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચુંટણી માથે છે ત્યારે ૩૦૦ જેટલા કોંગ્રેસના વિધ્યાર્થી પાંખના આગેવાનો-કાર્યકરો ભાજપમાં સામેલ થયા છે. જેને લઈને કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઇ છે. આ મોટા ભંગાણનું પરિણામ કોંગ્રેસને આગામી ચુંટણીમાં ભોગવવું પડે તો નવાઈ નહીં!