કે.રાજેશે આપેલ હથિયારના લાયસન્સ રદ્દ થાય તેવા સંકેત
સુરેદ્રનગરના પૂર્વ કલેકટર કે.રાજેશની ધરપકડ બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આખરે IAS અધિકારી કે. રાજેશ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 48 કલાક CBIની કસ્ટડીમાં રહેતાં આઈએએસ ઓફિસર કે. રાજેશ સસ્પેન્ડ થયા છે. સીબીઆઇએ આઈએએસ ઓફિસર કે. રાજેશ સામે કાર્યવાહી કર્યા બાદ તેમને કોર્ટમાં રજૂ કરીને વધુ પૂછપરછ માટે રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. કે. રાજેશના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે અને સોમવારે બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મળ્યા છે. તેમને સરકારની મંજૂરી પછી સસ્પેન્ડ કરવામાં આવે તેવી સંભાવના હતી.
પોલીસ કસ્ટડીમાં છે સસ્પેન્ડેડ IAS ઓફિસર
CBI દ્વરા ધરપકડ કરવામાં આવેલા સસ્પેન્ડેડ IAS ઓફિસર 48 કલાક કરતાં વધુ સમયથી પોલીસ કસ્ટડીમાં છે. જેથી GADએ પોતાનો રિપોર્ટ મોકલ્યો છે. કે.રાજેશ પર જમીન કૌભાંડ અને હથિયાર લાયસન્સમાં વહીવટ કરવાનો આક્ષેપ છે. કે.રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતા ત્યારે આપેલા હથિયાર લાયસન્સ પણ રદ થવાના સંકેત જોવા મળી રહ્યા છે. કે.રાજેશ સરકારી જમીન ખાનગી ઠેરવી વેચાણ કરવાના કેસમાં CBIના રડારમાં છે.
FIR દાખલ થયા બાદ 13 જુલાઈએ થઈ હતી ધરપકડ
CBI દ્વારા કે.રાજેશ વિરુદ્ધ 18 મેના રોજ FIR દાખલ કરવામાં આવી હતી. જે બાદ 20 મેના રોજ CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને 13 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
કે.રાજેશે આપેલ હથિયારના લાયસન્સ રદ્દ થશે ?
કે.રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતા ત્યારે આપેલા હથિયાર લાયસન્સ પણ રદ થવાના સંકેત જોવા મળી રહ્યા છે. કે.રાજેશ સરકારી જમીન ખાનગી ઠેરવી વેચાણ કરવાના કેસમાં CBIના રડારમાં છે.
સસ્પેન્ડેડ IAS ઓફિસર કે રાજેશ કોણ છે ?
સીબીઆઈના દરોડાનો સામનો કરી રહેલા આઈએએસ અધિકારીઓ મૂળ આંધ્રપ્રદેશના છે. ગુજરાત કેડરમાં 2011 IAS અધિકારીઓ છે. હાલમાં તેઓ સામાન્ય વહીવટ વિભાગના એનઆરઆઈ અને એઆરટી વિભાગના સંયુક્ત સચિવ છે. કે. રાજેશે પોંડિચેરી સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં B.Tech કર્યું છે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2010 માં 103 રેન્ક હાંસલ કર્યો. 2013 માં જૂનાગઢમાં મદદનીશ કલેક્ટર તરીકે સેવા આપી. પછી સુરતમાં આસિસ્ટન્ટ કલેક્ટર, સુરતમાં જ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામ કર્યું. તેઓ સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના જિલ્લા કલેક્ટર રહી ચૂક્યા છે.