ગત વર્ષની શરૂઆતમાં આખા દેશમાં ચકચાર જગાવી મુકનાર જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં થયેલા બળાત્કાર અને મર્ડર કેસ પર આજે ચૂકાદો આવ્યો છે. 8 વર્ષની બાળકી સાથે બળાત્કાર કરી બાદમાં હત્યા કરનાર કુલ સાતમાંથી 6 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. તેમાથી ત્રણને આજીવન કેદની સજા કરાઇ છે. જ્યારે બાકી 3 દોષિતોને 5 વર્ષની સજા કરાઇ છે.
જે દોષિતોને ઉંમરકેદની સજા સંભળાવામાં આવી છે. તેમા સાંજી રામ (મુખ્ય આરોપી), દીપક ખજુરિયા અને પરવેશ સામેલ છે. આ પહેલા પઠાનકોટની કોર્ટે મુખ્ય આરોપી સાંજી રામ સહીત અન્ય 6 આરોપીઓેને દોષિત ઠેરવ્યા હતા. સાતમાં આરોપી વિશાલને છોડી દેવાયો હતો. આ તમામ આરોપીઓને સજાનું એલાન કરી દેવાયું છે.
કઠુઆ કાંડના આરોપીઓ
સાત માંથી 6 આરોપી સાંજીરામ, સ્પેશિયલ ઓફિસર દીપક ખજુરિયા, સુરેન્દ્ર વર્મા, ટિલક રાજ, અને આનંદ દત્તાને દોષિત જાહેર કરાયા છે.
કઠુઆ બળાત્કાર કેસ સાથેની મહત્વપૂર્ણ બાબતો
પંદર પેજના આરોપપત્ર અનુસાર ગત વર્ષે 10 જાન્યુઆરીએ અપહરણ કરવામાં આવેલી 8 વર્ષની બાળકીને કઠુઆ જિલ્લાના એક ગામમાં મંદિરમાં બંધક બનાવી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું. તેના ચાર દિવસ સુધી બેહોશ રાખવામાં આવી અને બાદમાં તેની નિર્મમ હત્યા કરી નાંખવામાં આવી હતી. આ મામલે સુનાવણી પડોસી રાજ્ય પંજાબના પઠાનકોટ જિલ્લામાં અને સત્ર કોર્ટમાં ગત વર્ષે જૂનના પહેલા સપ્તાહમાં શરૂ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે આ મામલાને જમ્મૂ કાશ્મીરથી બહાર ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. જે બાદ જમ્મૂથી લગભગ 100 કિલોમીટર અને કઠુઆથી 30 કિલોમીટર દૂર પઠાનકોટની કોર્ટમાં આ કેસ મોકલવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટનો આ આદેશ ત્યારે આવ્યો છે જ્યારે કઠુઆમાં વકીલોએ અપરાધ શાખાના અધિકારીઓને આ કેસ મામલે આરોપપત્ર દાખલ કરવાતી રોક્યા હતા.
આ મામલે અભિયોજન દળમાં જે.કે. ચોપડા, એસ.એસ. બસરા અને હરમિન્દર સિંહ સામેલ હતા. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ગ્રામ પ્રધાન સાંદી રામ, તેમના પુત્ર વિશાલ, ભત્રીજા અને તેમના મિત્ર આનંદ દત્તાની ધરપકડ કરી હતી. આ મામલે બે વિશેષ પોલીસ અધિકારીઓ દીપર ખજુરિયા અને સુરેન્દ્ર વર્માની પણ ધરપકડ કરવામાં આવી છે.
સાંજી રામ પાસેથી કથિત રીતે ચાર લાખ રૂપિયા લેવા અને મહત્વપૂર્ણ પુરાવાનો નાશ કરવા મામલે હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને એસઆઇ આંનદ દત્તાની ધરપકડ કરવામાં આવી.