જમ્મૂ-કશ્મીરના કઠુઆ જિલ્લામાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ તેની હત્યાના મામલે આજે ખાસ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આ મામલે ત્રીજી જૂને બંધ બારણે સુનાવણી હાથ ધરાઈ ચૂકી છે. ત્યારે જિલ્લા અને સેશન જજ તેજવિંદરસિંહે આજે આ મામલે ચુકાદો આપી શકે છે.
જો આરોપીઓ દોષિત સાબિત થાય તો આજીવન કેદ અને ફાંસીની સજાની શક્યતા છે. આ મામલાની સુનાવણીના પગલે કોર્ટ અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કોર્ટમાં પંદર પાનાની ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે.
તમને જણાવીએ કે, ગત વર્ષે 10 જાન્યુઆરીના રોજ આઠ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતુ અને બાદમાં એક ગામના મંદિરમાં ચાર દિવસ સુધી તેના પર દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે પણ આ મામલાને જમ્મૂ બહાર ચલાવવા માટે આદેશ કર્યો હતો. જે બાદ પંજાબના પઠાણકોટ જિલ્લામાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ મામલે 8 આરોપીઓમાંથી 7 આરોપીઓ સામે ગુનો પણ સાબિત થયો છે. જ્યારે એક આરોપી સગીર હોવાથી તેની ઉંમર સંબધિત અરજી પર જમ્મૂ-કશ્મીર હાઈકોર્ટ સુનાવણી હાથ ધરાશે.
મહત્વવના મુદ્દાઓ :
10 જાન્યુઆરીના રોજ બાળકીનું થયુ હતુ અપહરણ.
કઠુઆ જિલ્લાના એક ગામના મંદિરમાં બંધક બનાવીને આચર્યુ દુષ્કર્મ.
4 દિવસ સુધી બાળકીને બેભાન રખાઈ અને બાદમાં હત્યા કરી નાખી.
કોર્ટમાં 15 પાનાની ચાર્જશીટ દાખલ.
પંજાબના પઠાણકોટમાં જિલ્લા અને સેશન કોર્ટમાં જૂન 2018માં હાથ ધરાઈ હતી સુનાવણી.
SCએ આ કેસને જમ્મૂની બહાર ચલાવવા આપ્યો હતો આદેશ.
SCના આદેશ બાદ પઠાનકોટની કોર્ટમાં મામલો મોકલવામાં આવ્યો.
કઠુઆમાં વકીલોએ ક્રાઈમબ્રાંચના અધિકારીઓને ચાર્જશીટ દાખલ કરવાથી રોક્યા હતા.
ક્રાઈમબ્રાંચે સરપંચ સાંજી રામ, વિશાલ, એક સગીર અને તેના મિત્ર આનંદની કરી હતી ધરપકડ.
કેસાં બે ખાસ પોલીસ અધિકારી દિપક ખજુરીયા અને સુરેન્દ્ર વર્માની પણ ધરપકડ.
પુરાવા નષ્ટ કરવાના મામલે હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને ASI આનંદ દત્તાની પણ ધરપકડ.
8 આરોપીઓમાંથી 7 સામે દુષ્કર્મ અને હત્યાનો આરોપ સાબિત થયો.
સગીર આરોપી વિરૂદ્ધ હજુ સુધી કેસ શરૂ થયો નથી.
સગીરની ઉંમર સંબંધી અરજી પર જમ્મૂ-કશ્મીર HC સુનાવણી કરશે.
જો આરોપીઓ દોષિત સાબિત થાય તો આજીવન કેદ અને ફાંસીની સજાની શક્યતા.