છેલ્લા થોડા દિવસોમાં નેપાળે ભારત સામે બાંયો ચડાવી છે. નેપાળે હવે નવો નકશો જાહેર કરીને કેટલાક ભારતના વિસ્તારોને પોતાના જાહેર કરી દીધા છે. નેપાળ સતત ભારતને ઉશ્કેરવા પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ ખૂબ મોટું નિવેદન આપ્યું છે.
નેપાળે જમીનવિવાદ બાદ હવે કોરોના મુદ્દે પણ ભારતને જવાબદાર ઠેરવ્યું
ભારતથી પાછા આવેલ લોકોમાં ચીન કરતા પણ વધુ ગંભીર લક્ષણો : નેપાળના પીએમ
થોડા સમયથી ઉત્તરાખંડમાં ભારત-નેપાળ વચ્ચે વિવાદ વકર્યો
ભારતમાં વધુ ખતરનાક વાયરસ
નેપાળના વડાપ્રધાને કહ્યું કે જે નાગરિકો ભારતની પાછા આવ્યા છે તે વધારે ગંભીર રીતે સંક્રમિત છે જ્યારે જે નાગરિકો ઈટાલી અને ચીનથી પરત આવ્યા છે તેમનામાં હળવા લક્ષણો જોવા મળે છે. જોકે હજુ સુધી ભારતે તેમના આ નિવેદન પર કોઈ જ પ્રતિક્રિયા આપી નથી.
નેપાળમાં કોરોના સંક્રમણ માટે ભારત જવાબદાર !
નેપાળના વડાપ્રધાને તેમના દેશમાં કોરોનાની ગંભીર સ્થિતિ માટે ભારત પર નિશાન સાધતા કહ્યું 'બહારથી આવેલા લોકોના કારણે દેશમાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. ઈન્ડીયન વાયરસ ચાઇનીઝ અને ઈટાલિયન કરતા વધુ ખતરનાક છે, જેનાથી વધુ લોકો સંક્રમિત થઇ ગયા છે.
નેપાળ-ભારત વચ્ચે ચાલી રહ્યો છે જમીન વિવાદ
નોંધનીય છે કે ભારતે ઉત્તરાખંડમાં જયારે રોડનું ઉદ્ઘાટન કર્યું ત્યારથી નેપાળ ભારતનો વિરોધ કરી રહ્યું છે. કૈલાશ માનસરોવર યાત્રા માટે ઉત્તરાખંડમાં લિપુલેખ પાસને જોડત રસ્તાનું ઉદ્ઘાટન ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે કર્યું હતું. નેપાળનું માનવું છે કે રોડ તેની સીમાની અંદર બનાવવામાં આવ્યો છે. નેપાળ કેબિનેટ દ્વારા જે નકશાને મંજૂરી આપવામાં આવી છે તેમાં લીમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાનીને નેપાળનો ભાગ દર્શાવવામાં આવ્યો છે. બંને દેશો વચ્ચે 1800 કિમી લાંબી સરહદ છે ત્યારે ભારત સરકાર પણ હવે નેપાળને આ ઉશ્કેરણીજનક હરકતો પર જવાબ આપે તેવી શકયતા છે.