ઓનલાઇન શિક્ષણને લઇ ઘણી સમસ્યાઓ છે. આજે પણ છેવાડાના ગામોમાં ઓનલાઇન અભ્યાસ માટે ઇન્ટરનેટની સુવિધા નથી ત્યારે કાઠિયાવાડી યુવાનોએ ઓનલાઇન સોફટવેર ગુજરાત સરકારને નિઃશુલ્ક ઓફર કર્યુ છે.
કોવિડ-19ના રોગચાળા દરમિયાન, વિદ્યાર્થીઓનાં શિક્ષણ પર વિપરીત અસર પડી રહી છે. જ્યારે કોરોનાએ ભારતમા ઘૂસણખોરી કરી ત્યારે આ પ્રકારના માહોલમાં શિક્ષણ પર શું વિઘાતક અસરો પડશે તેનું ચિંતન કેટલાક શિક્ષણશાસ્ત્રીઓ સાથે આપણા સોફટવેર નિષ્ણાંતો પણ કરવા લાગ્યા હતા. આવા જ બે ઉત્સાહી યુવાનો જેઓ હજુ સોફ્ટવેર જગતમાં આવેલા નવોદિત એન્ત્રોપ્રિનોર્સે છે. બન્ને થોડા સમયથી જ અભ્યાસ કરીને સોફ્ટવેર ક્ષેત્રમાં કાર્યરત થયા છે, કારણ કે તેઓ બાળકોને શિક્ષણ જગતમાં કંઇક નવું આપવાની ખેવના ધરાવતા હતા. સરળ રીતે સમજી શકાય અને ઉપયોગમાં લઇ શકાય તેવું શિક્ષણ સંબધિત એક સોફટવેર નિર્મિત કરીને ગુજરાત સરકારને તદ્દન મફત સેવાના ભાવે આ કાઠિયાવાડી યુવાનોએ ઓફર કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે બંન્ને નવોદિતમાં સમાજ માટે કોરોનાના કપરા સમયમાં કેવી રીતે જનસમાજને સેવારૂપ થવું તેવો વિચાર ધુમરાયા કરતો હતો તેના પરિપાકે Digischool.Live નામનું સોફટવેર નિર્માણ કર્યુ છે.
વિદ્યાર્થીઓ તેમ જ શિક્ષકો માટે ઓનલાઇન શિક્ષણ પૂરું પાડવું ખૂબ મુશ્કેલ તેમજ ખર્ચાળ બન્યું છે. શિક્ષણ એ પ્રગતિશીલ ભારતના ભવિષ્યને અસર કરનારૂ એક સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. આ અગવડતાને ઘટાડવા અને ઓનલાઇન શિક્ષણને વધુ કાર્યક્ષમ અને સરળ બનાવવા માટે ગુજરાતના બે યુવાઓ દ્વારા સંચાલિત આઇટી ફર્મએ Digischool.Live નામનું એક Cloud Based સોફ્ટવેર બનાવ્યું છે.
કેવી રીતે કામ કરે છે Digischool.Live સોફટવેર ?
Digischool.Live એ એવું Cloud Based સોફ્ટવેર છે જેમાં શાળા તથા શૈક્ષણિક સંસ્થાના સંચાલકો એક ક્લીક દ્વારા શાળા સંચાલન ઓનલાઇન મેનેજ કરી શકે છે. આ સોફ્ટવેરની વિશેષતાઓ જેવી કે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સંચાલન તેમની પ્રગતિ, શાળાના અહેવાલો, હાજરી, ટાઈમ ટેબલ, ક્લાસ, હોમવર્ક તથા વિશેષરૂપે વિદ્યાર્થીઓની પરીક્ષા પણ ઓનલાઇન થઇ શકે છે. શાળાનું કોઈ પણ કાર્ય આ સોફ્ટવેરથી ઘરે બેઠા થઇ શકે છે.
તાજેતરમાં Digischool.Liveના ડિરેક્ટર્સ, સિદ્ધાર્થ કામ્બલીયા અને સી.એ. નિલેશ ઓડેદરાએ તારીખ 27-7-2020ના સોમવારના રોજ આ સોફ્ટવેરને સરકારને વૈકલ્પિક વ્યવસ્થાના રૂપે નિ:શુલ્ક આપવા માટેની ઓફરરૂપી જાણ રૂબરૂ પત્ર મારફતે વિજય રૂપાણી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કરેલ છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું કે ગુજરાત શિક્ષણ વિભાગ આ સોફ્ટવેરના માધ્યમથી વિદ્યાર્થીઓના શિક્ષણનું ઓનલાઇન સંચાલન સુદ્રઢ અને અસરકારક રીતે કરી શકે છે
જૂન મહિનામાં ઇઝરાઇલની શાળાએ શારીરિક શિક્ષણ માટે તેમના દરવાજા ખોલ્યા હતા. જેના પરિણામે 217 વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. 31 સંસ્થાઓમાં 9935 લોકોને ક્વોરેંટાઇન્ડ કરવામાં આવ્યા હતા. તેઓએ વિચાર્યું કે લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જોખમે શાળાઓ ખોલવી તે યોગ્ય છે? આનો જવાબ દેખીતી રીતે ના છે. તેથી તેઓએ સાથે મળીને એક એવું માધ્યમ બનાવવાનું વિચાર્યું કે એક સોફ્ટવેર જે દરેકની જરૂરિયાતોને સંતોષવા માટે સુવિધાઓથી સજ્જ હોવું જોઈએ. જેનાથી કોરોના તથા ભવિષ્યની કોઈ પણ મહામારીને પહોંચી વળવા માટે સક્ષમ હોય. આ વિચારસરણીનું પરિણામે Digischool.Live સોફટવેર શિક્ષણજગત માટે ભારે ચિવટ રાખીને બનાવવામાં આવ્યું.પોતે પણ સમાજ માટે સેવા કાર્ય કરવા માંગે છે એવા ભાવથી બંન્ને એન્ત્રોપ્રિનોર્સે સીએમ અને શિક્ષણ પ્રધાનને તેમનું સોફટવેર તદ્દન મફત ગુજરાતી બાળકોને માટે અર્પણ કરવાનો ભાવ પત્રમાં લખીને ઉમદા ઉદાહરણ સમાજ સામે પ્રસ્તુત કર્યું છે.