રાજુલા તાલુકાના રામપરા ગામે આજે સાંજથી રામકથાનો આરંભ થઈ રહ્યો છે. જેમાં કથાકાર મોરારી બાપુ કથા સ્થાને છે. જેથી બાપુ માટે અલગથી પાસે વડગામમાં મોરારીબાપુનો ગામઠી પૌરાણિક થીમ પર ઉતારામાં મ્યુઝીયમ બનાવ્યું. આ મ્યુઝીયમ આજે સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગુજરાત અને દેશભરના લોકો મ્યુઝીયમ જોવા માટે આવી રહ્યા છે અને અહીં કથાકાર મોરારી બાપુનો ઉતારો હોવાને કારણે સેવકો અને શ્રદ્ધાળુઓની સતત અવરજવર કથા દરમ્યાન જોવા મળી રહી છે.
કાઠી સમાજનું મ્યુઝિયમ લોકોના આકર્ષણનું કેન્દ્ર
100 વર્ષ પહેલાની પૌરાણિક વસ્તુઓ રાખાઇ
અહીં જ છે કથાકાર મોરારી બાપુનો ઉતારો
અમરેલી જિલ્લા આવેલ રાજુલા પંથક જે બાબરીયાવાડ પંથક તરીકે ઓળખાય છે. આ બાબરીયાવાડ વિસ્તારમાં આરોગ્ય મંદિર અને રામપરા મંદિરના લાભાર્થે મોરારી બાપુની કથાનો પ્રારંભ આજે થયો છે. મોરારી બાપુના સાંનિધ્યમાં ૧૪થી ૨૨ માર્ચ, ૨૦૨૦ દરમિયાન રામપરા ખાતે રામકથા યોજાઇ રહી છે. ત્યારે આ વિસ્તાર મોરારીબાપુનો ઉતારો આપવા માટે અહીંના લોકો થનગની રહ્યા હતા. અહીં આવેલ વડગામના પીઠુભાઈ બોરીચાના શ્યામ બાગ ખાતે મોરારી બાપુનો ઉતારો આપવામાં આવ્યો છે. અહીં ત્રીજી વખત મોરારી બાપુનો ઉતારો આપવામાં આવ્યો છે.
100 વર્ષ જૂની પૌરાણિક વસ્તુઓથી બનાવ્યું મ્યુઝીયમ
અહીં મહત્વની વાત અને જાણવા જેવી બાબત તો એ છે કે 100 વર્ષ પહેલાની પૌરાણિક વસ્તુઓ જે હતી તેની માટે એક મ્યુઝીયમ બનાવ્યું છે. આ મ્યુઝીયમમાં સીગરામ, વેલડું, જુના ગાડા, મજુલી, રેસન્ટ ગાડું, પૌરાણિક ચાકળા અને સાચામોતીના કલાત્મક તોરણો, ટોડલિયા વીંઝણાં વગેરે ઉપરાંત વાસણોમાં ગોળી, સંદૂક કટોદાન ડાબલો સહીત અનેક દુર્લભ વસ્તુઓ આ મ્યુઝીયમનાં પ્રદર્શનમાં જોવા મળી રહી છે. જોકે મ્યુઝીયમ બનાવવા પાછળનો માત્ર હેતુ યુવા પેઢીને ખાસ કરી આ પૌરાણિક વસ્તુઓ જોવા મળે અને જાણકારી મળે તેવું શ્યામ બાગના સંચાલકે જણાવ્યું હતું.
કાઠી મ્યુઝીયમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું
આ કાઠી મ્યુઝીયમ શ્યામ બાગ ખાતે ઉભું કરવામાં 4 માસથી તૈયારી કરવામાં આવી હતી. જોકે હવે આજે તૈયાર થતા સૌરાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન અને દેશ વિદેશના લોકો આ 100 વર્ષ જૂની પૌરાણિક વસ્તુઓ જોવા માટે લોકો આવી રહ્યા છે. આ વર્ષો જૂની અનેક દુર્લભ વસ્તુઓ હોવાને કારણે લોકોમાં આ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાથે સાથે અહીં સતત આ નજારો જોવા માટે લોકો આવી રહ્યાં છે.
બાબરીયાવાડ પંથકમાં પીઠુભાઈ બોરીચાનું શ્યામ બાગ પ્રખ્યાત છે. ત્યારે અહીં કથાકાર બાપુનો ઉતારો હોવાને કારણે કલાકારો પણ મુલાકાત લઇ રહ્યા છે. આજે લોક સાહિત્યકાર માયાભાઇ આહીર પણ આ પ્રદર્શન જોવા માટે પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજા રજવાડા વખતે 100 વર્ષ પહેલા વાહનો કેવા હતા અને કેવી વસ્તુઓ હતી સહીત ઇતિહાસનું પ્રદર્શન નિહાળી હું પણ રાજીપો વ્યક્ત કરું છું.
આ મ્યુઝીયમને નિહાળવું એક લહાવો
આ કાઠી મ્યુઝીયમ યુવાનો સહીત કેટલીક નવ યુવા પેઢીઓએ આ પ્રદર્શનના નામ પણ સાંભળ્યા ન હતા. જેના કારણે આ કાઠી સમાજની પ્રાચીન વસ્તુઓ અને રાજા રજવાડા વખતની કેવી હતી વસ્તુ તેની માટે એક ખાસ વડ ગામે કથાકાર મોરારી બાપુના ઉતારે કાઠી મ્યુઝીયમ જોવું તે જીવનનો એક લહાવો છે તે નકારી ન શકાય તે નિશ્ચિત છે.