પ્રસિદ્ધ કથક ડાન્સર પંડિત બિરજૂ મહારાજનું હાર્ટ અટેકના કારણે નિધન થયું છે.
83 વર્ષના બિરજૂ મહારાજે ગત રાતે અંતિમ શ્વાસ લીધા
મહારાજના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી
બિરજૂ મહારાજનો જન્મ 4 ફેબ્રુઆરી 1938 એ લખનૌમાં થયો હતો
83 વર્ષના બિરજૂ મહારાજે ગત રાતે અંતિમ શ્વાસ લીધા
પદ્મ વિભૂષણથી સન્માનિત 83 વર્ષના બિરજૂ મહારાજે રવિવાર અને સોમવારની રાત દરમિયાન અંતિમ શ્વાસ લીધા. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી આ અંગે જાણકારી આપી. ગાયિકા માલિની અવસ્થી અને અદનાન સામીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
आज भारतीय संगीत की लय थम गई। सुर मौन हो गए। भाव शून्य हो गए। कत्थक के सरताज पंडित बिरजू महाराज जी नही रहे। लखनऊ की ड्योढ़ी आज सूनी हो गई। कालिकाबिंदादीन जी की गौरवशाली परंपरा की सुगंध विश्व भर में प्रसरित करने वाले महाराज जी अनंत में विलीन हो गए।
आह!अपूर्णीय क्षति है यह
ॐ शांति🙏 pic.twitter.com/dLBEy5aPqR
— मालिनी अवस्थी Malini Awasthi (@maliniawasthi) January 17, 2022
માલિની અવસ્થીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો
માલિની અવસ્થીએ લખ્યું કે આજે ભારતીય સંગીતનો લય રોકાઈ ગયો. સૂર મૌન થઈ ગયા. ભાવ શૂન્ય થઈ ગયા. કથકના સરતાજ પંડિત બિરજુ મહારાજજી નથી રહ્યા. લખનૌના ડ્યોઢી આજે સૂની થઈ ગઈ. કાલિકાબિંદાદીનજીના ગૌરવશાલી પરંપરાની સુગંધ વિશ્વભરમાં પ્રસારિત કરનારા મહારાજ જીએ અનંતમાં વિલીન થઈ ગયા.
Extremely saddened by the news about the passing away of Legendary Kathak Dancer- Pandit Birju Maharaj ji.
We have lost an unparalleled institution in the field of the performing arts. He has influenced many generations through his genius.
May he rest in peace.🙏🖤#BirjuMaharajpic.twitter.com/YpJZEeuFjH
અદનામ સામીએ સોશિયલ મીડિયા પર લખ્યું મહાન કથક નર્તક પંડિત બિરજૂ મહારાજ જીના નિધનના સમાચાર બહું વધારે દુઃખી છું. આજે આપણા કલાકના ક્ષેત્રમાં એક અનોખુ સંસ્થાન ખોઈ દીધુ છે. પોતાની પ્રતિભાથી અનેક પેઢીને પ્રભાવિત કર્યા છે.
બિરજૂ મહારાજનો જન્મ 4 ફેબ્રુઆરી 1938 એ લખનૌમાં થયો હતો
લખનૌ ઘરાનાથી સંબંધ ધરાવતા બિરજૂ મહારાજનો જન્મ 4 ફેબ્રુઆરી 1938 એ લખનૌમાં થયો હતો. તેમનું અસલી નામ પંડિત બૃજમોહન મિશ્ર હતુ. આ કથક નર્તક હોવાની સાથે સાથે શાસ્ત્રીય ગાયક પણ હતા. બિરજૂ મહારાજના પિતા અને ગુરુ અચ્છન મહારાજ, કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ પણ પ્રસિદ્ધ કથક ડાન્સર હતા.
Kathak maestro Pandit Birju Maharaj passes away, says his relative
બિરજૂ મહારાજે દેવદાસ, ડેઢ ઈશ્કિયા, ઉમરાવ જાન અને બાજી રાવ મસ્તાની જેવી ફિલ્મોમાં ડાન્સ કોરિયોગ્રાફ કર્યા હતા. આ ઉપરાંત તેમણે સત્યજીત રાયની ફિલ્મ શતરંજના ખેલાડીમાં મ્યૂઝિક પણ આપ્યું હતુ. બિરજૂ મહારાજને 1983માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આની સાથે તેમણે સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ મળ્યું હતુ. કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય અને ખૈરાગઢ વિશ્વવિદ્યાલયે બિરજૂ મહારાજને ડોક્ટરેટની માનદ ઉપાધિ આપી હતી. 2012માં વિશ્વરુપમ ફિલ્મમાં ડાન્સ અને કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2016માં બાજીરાવ મસ્તાનીમાં મોહે રંગ દો લાલ ગીતની કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.