આજે ચૈત્ર સુદ પુનમ એટલે કે હનુમાનજીનો જન્મ દિવસ. ત્યારે આ હનુમાન જયંતિના દિવસે ભક્તો માટે મંદિર બંધ હોવાથી સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીના ઓનલાઇન દર્શન કરી શકાશે.
સાળંગપુરમાં હનુમાન જંયતિની ઉજવણી કરાશે
હનુમાન જયંતિની ઉજવણીમાં ભક્તો ભાગ નહી લઇ શકે
હરિભકતો માટે દર્શન અને મંદિર રહેશે બંધ
હાલ કોરોના મહામારીના પગલે હનુમાન જયંતિની ઉજવણીમાં ભક્તો ભાગ નહીં લઇ શકે. હરિભક્તો માટે દર્શન અને મંદિર બંધ રહેશે. તો બીજીી તરફ અહીં વિશ્વ શાંતિ યજ્ઞ, મારૂતિ યજ્ઞનું આયોજન કરાયું છે.
શું છે મંદિરનો ઈતિહાસ?
મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ કોટિનાં સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યું. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા.