કાશ્મીરમાં આતંકવાદીઓનું સફાઇ અભિયાન ચાલી રહ્યું છે. એજ કારણ છે કે આ વર્ષના હજુ પાંચ વર્ષ વિત્યા છે અને 101 આતંકવાદીઓ ઠાર મરાયા છે. સેનાના નિશાન બનેલા આ 101 આતંકવાદીઓમાં 23 વિદેશ આતંકવાદી પણ સામેલ છે. જોકે, મોટી સંખ્યામાં નવા આતંકવાદીઓને ભરતી થઇ છે. જેને લઇને સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.
કયા વિસ્તારના કેટલા આતંકવાદી?
અધિકારીઓએ જણાવ્યું કે આ વર્ષે 31 મે સુધી 101 આતંકવાદીઓ માર્યા ગયા જેમાં 23 વિદેશી અને 78 સ્થાનિક આતંકવાદી સામેલ છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી સૌથી વધુ શોપિયાંથી છે જ્યાં 16 સ્થાનિક આતંકવાદીઓ સહિત 25 આતંકવાદીઓ માર્યા ગયા. પુલવામામાં 15, અવંતીપુરામાં 14 અને કુલગામમાં 12 આતંકવાદીઓ ઠાર મરાયા.
નવી ભરતી બની માથાનો દુઃખાવો
આ વર્ષે જે આતંકવાદીઓનો ખીણમાં ખાતમો કર્યો છે, તેમાં અલકાયદાથી જોડાયેલ ગુટ અંસાર ગજવાત-ઉલ-હિંદના પ્રમુખ ઝાકિર મૂસા જેવા ટોપ કમાન્ડર સામેલ છે. જોકે દક્ષિણ કાશ્મીરના આ અતિ સંવેદનશીલ વિસ્તારોમાંથી યુવાનોના અલગ અલગ સમૂહોમાં સામેલ થવાનો સિલસિલો પણ યથાવત છે. અધિકારીઓએ જણાવ્યું કે માર્ચ મહિનાથી 50 યુવક વિવિધ આતંકવાદી સંગઠનોમાં સામેલ થઇ ચૂક્યા છે.
તેમના જણાવ્યા અનુસાર, સુરક્ષા એજન્સીઓ તે નવા આતંકવાદી સુધી જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ થતી રોકવાનો ઉત્તમ માર્ગ શોધવો પડશે. અધિકારીઓએ જણાવ્યું કે હિબ્ઝુલ મુઝાહિદ્દીનના આતંકવાદીઓ અંસાર ગઝવાત-ઉલ-હિંદમાં સામેલ થવાના કિસ્સઓ વધ્યા છે.