મલિક પ્રતિબંધિત સંગઠન જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટનો વડો પણ છે
કાશ્મીરીના અલગાવવાદીઓને મોટો ફટકો પડ્યો છે. ટેરર ફંડિગ કેસમાં દોષી ઠેરવવામાં આવેલા કાશ્મીરના અલગાવવાદી નેતા યાસિન મલિકને એનઆઈએ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. આજીવન કારાવાસની સજાની સાથે કોર્ટે યાસિન મલિકને 10 લાખનો દંડ પણ ફટકાર્યો છે. બુધવારે એનઆઈએ કોર્ટમાં યાસિન મલિકની સજા અંગે દલીલબાજી ચાલી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલે મલિકે માટે ફાંસીની સજાની માગ કરી હતી. સુનાવણી દરમિયાન મલિકે એવી કબૂલાત કરી લીધી હતી કે તે કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સંડોવાયેલો હતો. ઉલ્લેખનીય છે કે 19 મેના દિવસે એનઆઈએ કોર્ટ મલિકને ગુનાહિત ષડયંત્ર રચવાના, દેશ સામે યુદ્ધ છેડવાના તથા ટેરર ફંડિગ કેસમાં દોષી ઠેરવ્યો હતો. આ પહેલા યાસીન મલિકને દિલ્હીની પટિયાલા કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ સજા અંગે કોર્ટમાં ચર્ચા થઈ હતી. ત્યારબાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. સજા સંભળાવતા પહેલા પટિયાલા કોર્ટ સંકુલની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. કોર્ટ રૂમની બહાર કેપીએફ, સ્પેશિયલ સેલના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
Terror funding case | Two life imprisonments have been given to Yasin Malik, besides that 10 years of rigorous imprisonment in 10 offences and Rs 10 lakh penalty, all the punishments will run concurrently: Advocate Umesh Sharma pic.twitter.com/9bJCZ8RHml
ટેરર ફંડિગના બે કેસમાં આજીવન કારાવાસ, ચાર કેસમાં 10 વર્ષની સજા
યાસિન મલિકને ટેરર ફંડિગના બે કેસમાં આજીવન કારાવાસની તો બીજા ચાર કેસમાં 10 વર્ષની સજા કરવામાં આવી છે. પટિયાલા એનઆઈએ કોર્ટે સજાની જાહેરાત કરતા એવું પણ કહ્યું હતું કે મલિકની તમામ સજા એકીસાથે ચાલશે.
સરકારી વકીલે મલિક માટે કરી હતી ફાંસીની સજાની માગ
યાસિન મલિક ફાંસીની સજામાંથી બચી ગયો છે. એનઆઈએ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે મલિક માટે ફાંસીની સજાની માગ કરી હતી જોકે કોર્ટે તેને ઠુકરાવી દીધી હતી અને આજીવન કેદની સજા કરી હતી.
મલિક પર લાગ્યા 3 મોટા આરોપ
ઉલ્લેખનીય છે કે યાસિન મલિક પર 3 મોટા આરોપ લાગ્યાં છે.
(1) ભારતીય વાયુસેનાના 4 જવાનોની હત્યા
(2) જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મુફતી મોહમ્મદની પુત્રીનું અપહરણ
(3) કાશ્મીરી પંડિતોની હત્યા અને તેમને ઘર છોડવા માટે મજબુર કરવા
આ 3 તો મોટા આરોપ છે તે સિવાય પણ બીજા ઘણા તે બીજા ઘણા ગુનાઓમાં સંડોવાયેલો છે જેને કબૂલાત ખુદ મલિકે કરી લીધી છે.
શ્રીનગરમાં યાસિન મલિકના ઘર નજીક સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
આ દરમિયાન ઘણા લોકો ત્રિરંગો લઈને કોર્ટની બહાર પહોંચી ગયા છે. આ સાથે જ શ્રીનગર નજીક મૈસુમામાં યાસીન મલિકના ઘર પાસે મલિકના ઘર પાસે મલિકના સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. પથ્થરમારા બાદ અહીંની સ્થિતિ સુરક્ષાકર્મીઓને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. યાસીન મલિકનું ઘર શ્રીનગર નજીક મૈસુમામાં છે. મલિકના ઘરની આસપાસ સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. ડ્રોન દ્વારા આ વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. શ્રીનગરમાં પથ્થરમારો, ઈન્ટરનેટ બંધ
યાસિન મલિકને સજાને ધ્યાનમાં રાખીને કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે સત્તાવાળાઓ દ્વારા શ્રીનગરમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયું હતું. શ્રીનગરમાં પથ્થરમારો થયો હોવાની પણ ખબર છે.
Terror funding case | NIA Court in Delhi awards life imprisonment to Yasin Malik. pic.twitter.com/mxwH3dhWLc
કોર્ટે જે પણ સજા આપશે તે મંજૂર, ભીખ નહીં માગું-મલિક
એનઆઈએ વિશેષ કોર્ટમાં સુનાવણી દરમિયાન મલિકે કોર્ટે એવું જણાવ્યું હતું કે હું તમારી પાસે ભીખ નહીં માગુ, તમને જે યોગ્ય લાગે તે સજા કરો.
19 મેએ કોર્ટે મલિકને દોષી જાહેર કર્યો હતો
ઉલ્લેખનીય છે કે કોર્ટે 19 મેએ યાસિન મલિકને વિવિધ ગુનાઓમાં દોષી જાહેર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે મલિકે 'આઝાદી'ના નામે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે ભંડોળ એકઠું કરવાના ઇરાદાથી વિશ્વભરમાં એક નેટવર્ક ઊભું કર્યું હતું. સુઓ મોટો સંજ્ઞાન લેતા એનઆઈએએ આ કેસમાં 30 મે, 2017ના રોજ કેસ નોંધ્યો હતો. આ કેસમાં એક ડઝનથી વધુ લોકો સામે 18 જાન્યુઆરી, 2018ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ કોર્ટને જણાવ્યું હતું કે લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન, જેકેએલએફ, જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠનોએ પાકિસ્તાનની આઈએસઆઈના સમર્થનથી નાગરિકો અને સુરક્ષા દળો પર હુમલો કરીને ખીણમાં મોટા પાયે હિંસા આચરી હતી.
મલિકની પત્ની મુશાલ હુસૈન મલિક સામે આવી
પતિની સજા પહેલા યાસિન મલિકની પત્ની મુશલ હુસૈન મલિક સામે આવી હતી. મુશલ મલિક પાકિસ્તાનની છે. તેણે પાકિસ્તાનના નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને અપીલ કરી રહી છે કે તેના પતિ નિર્દોષ હોવાથી તેને બચાવે. તે સતત પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરીને મોદી સરકાર પર કટાક્ષ કરી રહી છે. તે કહી રહી છે કે, ભારતમાં ભાજપ સરકાર પોતાના પતિને સજા આપીને હિન્દુત્વની રાજનીતિ દ્વારા પોતાની વોટબેંક વધારવા માંગે છે. "#ReleaseYasinMalik ભારતની ભાજપ સરકાર મારા પતિ યાસીન મલિકને મોદીની હિન્દુત્વવાદી ફાશીવાદી વોટબેંકને વેગ આપવા અને જમ્મુ-કાશ્મીરના લોકો પાસેથી તેમના નેતાને છીનવી લેવા બદલ સજા આપવા માંગે છે. ભારતે આ યુદ્ધ અપરાધો, નફરત અને અસહિષ્ણુતાની રાજનીતિનો અંત લાવવો જોઈએ.
Yasin Malik’s sister reading Quran at their Maisuma, Srinagar residence while waiting for the pronouncement of judgment against him from a Delhi court. pic.twitter.com/JFFTbzJO1x
મુશાલે કર્યાં સંખ્યાબંધ ટ્વિટ
મુશાલે સંખ્યાબંધ ટ્વિટ કર્યાં હતા. પહેલા ટ્વિટમાં તેણે લખ્યું કે ભારત સરકારને ડર છે કે તેની શક્તિ કાશ્મીરમાંથી ખોવાઈ જશે. આ ડરથી જ ત્યાંની સરકાર એવું કડક પગલું ભરી રહી છે જેનો કોઈ કાનૂની આધાર નથી. સત્તા સાથેનો આ નિરાશાજનક સંઘર્ષ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે અને કાશ્મીરને મુક્ત કરવામાં આવશે. મુશાલ પોતાના ટ્વીટમાં #ReleaseYasinMalik હેશટેગનો ઉપયોગ કરી રહ્યો છે અને લોકોને તેની મુક્તિ માટે યાસીન મલિક સાથે જોડાવાની અપીલ પણ કરી રહ્યો છે. મુશાલે ટ્વિટર પર લખ્યું, "જુલમી હંમેશાં પોતાને દેશભક્તિ અથવા ધર્મના ડગલામાં લપેટાયેલો રાખે છે. ભારતના મહોરાથી મૂર્ખ ન બનો કારણ કે તેઓ દેશભક્તિના નામે સ્વતંત્રતા સંગ્રામનો અંત લાવવાનો પ્રયાસ કરે છે. વધુ એક ટ્વિટમાં તેણે એવું પણ કહ્યું કે મોદી સરકાર ગમે તેટલા પ્રયત્નો કરે, પરંતુ અમે તેની બર્બરતા સામે છેલ્લા શ્વાસ સુધી લડીશું." પોતાના સંદેશમાં તેમણે લખ્યું છે કે, "સ્વતંત્રતા અમારો અધિકાર છે, જો તમે અમને આ અધિકાર આપવાની ના પાડશો, તો અમે તમારી પાસેથી અમારી સ્વતંત્રતા છીનવી લઈશું.