જમ્મુ કાશ્મીરમાં કશ્મીરી પંડિતો હિન્દુ અલ્પસંખ્યકો વિરુદ્ધ ટાર્ગેટ કિલીંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. 1મેથી અત્યાર સુધીમાં ઘાટીમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલીંગમાં લગભગ આઠ નાગરિકોના મોત થઈ ગયા છે.
જમ્મુ કાશ્મીરમાં કશ્મીરી પંડિતોની દયનિય હાલત
ટાર્ગેટ કિલીંગ બાદ પલાયન કરી રહ્યા છે પંડિતો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી મદદ માટે આગળ આવ્યા
જમ્મુ કાશ્મીરમાં કશ્મીરી પંડિતો હિન્દુ અલ્પસંખ્યકો વિરુદ્ધ ટાર્ગેટ કિલીંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. 1મેથી અત્યાર સુધીમાં ઘાટીમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલીંગમાં લગભગ આઠ નાગરિકોના મોત થઈ ગયા છે. માર્યા જવાના ડરથી કશ્મીરમાંથી કશ્મીરી પંડિતો પલાયન થઈ રહ્યા છે. ત્યારે આ બાબતને લઈને હવે રાજકારણ પણ ગરમાવા લાગ્યું છે.
ઉદ્ધવ ઠાકરેએ કહી આ વાત
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, કશ્મીરી પંડિતોને ઘર વાપસીનું સપનું બતાવીને કશ્મીર મોકલવામાં આવ્યા હતા, પણ આજે તેમને પકડી પકડીને મારવામાં આવી રહ્યા છે. જીવ બચાવવા માટે લોકો આમથી તેમ પોતાનું ઘર છોડીને ભાગવું પડે છે. ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, મહારાષ્ટ્ર કશ્મીરી પંડિતોનું સમર્થન કરશે અને તેમના માટે જે પણ કરવાનું થશે તે કરશે. તેમણે કહ્યું કે, અમે તેમને નિ:સહાય છોડી શકીએ નહીં, મહારાષ્ટ્ર કશ્મીરી પંડિતોનું સમર્થન કરશે. અમે શક્ય દરેક મદદ કરીશું.
ઘાટી છોડી રહ્યા છે કશ્મીરી પંડિતો
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ટાર્ગેટ કિલિંગના કારણે કશ્મીરી પંડિતો ઘાટી રહ્યા છે. તેમને ઘર વાપસીનું સપનું બતાવામાં આવ્યું હતું, પણ હવે માર્યા જાય છે. 1995માં બાળ ઠાકરે અને તત્કાલિન રાજ્ય સરકારે કશ્મીરી પંડિતોને શિક્ષણમાં અનામત આપ્યું હતું. અમે કશ્મીરી પંડિતોના નેતાઓના સંપર્કમાં છીએ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે હું તેમની મદદ કરવા માટે શક્ય દરેક કોશિશ કરીશું.
સંજય રાઉતે પણ ઉઠાવ્યા સવાલો
ટારગેટ કિલિંગ મામલે શિવસેના નેતા સંજય રાઉતનું નિવેદન પણ સામે આવ્યું છે, તેમણે કહ્યું હતું કે, આજે કશ્મીર સળગી રહ્યું છે. કશ્મીરમાં સ્થિતિ કાબૂ બહાર છે. દિલ્હીમાં બેઠેલા લોકો ફિલ્મ પ્રમોશનમાં વ્યસ્ત છે. કશ્મીરી પંડિત ભાઈઓ સાથે મુસ્લિમોની પણ હત્યા થઈ રહી છે. દિલ્હીની સુરક્ષા કરતા લોકોની પણ હત્યા થઈ રહી છે.