વર્ષ 1990માં 19મી જાન્યુઆરીએ પંડિતોને કાશ્મીર માથી બહાર કઢાયા હતા. જેના વિરોધમાં અમદાવાદમાં કાશ્મીરી પંડિતોએ બ્લેક ડે મનાવ્યો. શહેરના વસ્ત્રાપુરમાં મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો એકઠાં થયા હતા.
અમદાવાદમાં કાશ્મીરી પંડિતોએ મનાવ્યો બ્લેક ડે
આજે આ ઘટનાને 30 વર્ષ થયાં
સૂત્રોચ્ચાર દ્વારા કર્યો વિરોધ
વસ્ત્રાપુર ખાતે એકત્રિત થયેલા તમામ લોકોએ સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ પ્રદર્શીત કર્યો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતો વસવાટ કરે છે. જેઓ 1990માં પોતાનું ઘર છોડી અમદાવાદમાં આવ્યા હતા.
આજે આ ઘટનાને 30 વર્ષ થયાં
કાશ્મીરની ઘાટીનાં કાશ્મીરી પંડિતો 19 જાન્યુઆરી પ્રલય દિન તરીકે ઉજવે છે. કેમ કે વર્ષ 1990માં પરિસ્થિતિ વણસી હોવાથી આ તારીખે કાશ્મીરી પંડિતોએ કાશ્મીરની ઘાટીમાંથી પલાયન કરવાનું શરું કર્યું હતું. આજે આ તારીખને 30 વર્ષ પુરા થઈ રહ્યાં છે. આજનાં દિવસે કાશ્મીરી પંડિત ‘હોલોકોસ્ટ/એક્સોડ્સ ડે’(પ્રલય/ મોટી સંખ્યામાં પલાયનની તારીખ) તરીકે મનાવવામાં આવે છે.
5 લાખ કાશ્મીરી પંડિતોએ જીવ બચાવવા લીધો આ નિર્ણય
મે 1990 સુધી લગભગ 5 લાખ કાશ્મીરી પંડિત જીવ બચાવવા માટે પોતાની માતૃભૂમિ કાશ્મીરને છોડી દીધું હતું. જે સ્વતંત્ર્ય ભારતનું સૌથી મોટું પલાયન માનવામાં આવે છે.જેને કારણે દર વર્ષે 19 જાન્યુઆરીએ જ્યાં પણ કાશ્મીરી પંડિતો રહે છે. તેઓ આ તારીખે ‘હોલોકોસ્ટ/એક્સોડ્સ ડે’તરીકે મનાવે છે.