શિવસેનાએ ગુરુવારે કહ્યું છે કે કાશ્મીર મુસલામાનોને ભેટમાં આપવાામાં આવશે નહીં. પાર્ટીએ આ વાત આર્ટિકલ 370 નો મુદ્દો ઊઠાવતા પોતાના મુખપત્ર સામનામાં લખી છે.
પાર્ટીએ લખ્યું છે, 'ઘાટીમાં મુસલમાનોની જનસંખ્યા 68.35 ટકા છે, જ્યારે હિંદુઓની સરેરાશ રાજ્યની કુલ જનસંખ્યાના 28.45 ટકા છે. એનો અર્થ એવો નથી કે કાશ્મીર મુસલમાનોને ભેટમાં આપવામાં આવશે. એ પણ ભારતીય છે અને દેશનો કાયદો એમની પર પણ લાગૂ થવા જોઇએ. એના માટે આર્ટિકલ 370 હટાવવું પડશે.'
શિવસેનાએ સામનામાં ગૃહ મંત્રી અમિત શાહના વખાણ પણ કર્યા છે. પાર્ટીએ લખ્યું છે. 'સમય બદલાઇ રહ્યો છે કારણ કે અમિત શાહે કાશ્મીરના મુદ્દાને પ્રાથમિકતા આપી છે. જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા માટે શાહે દિલ્હીમાં બેઠક કરીને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે. આ બેઠકમાં પરિસીમન પર પણ ચર્ચા થઇ. એ સરળ નથી પરંતુ સારી વાત છે કે શાહ પોતાના ઇરાદા દેખાડી રહ્યા છે.'
આ ઉપરાંત પાર્ટીએ લખ્યું છે, 'રાજ્યના અત્યાર સુધીનું રાજકારણ મુસ્લિમ જનસંખ્યાને ખુશ રાખવાના દબાણમાં થતી રહી છે. પરિસીમનનો વિરોધ કરવામાં આવે છે કારણ કે ત્યાં ક્યારેય પણ કોઇ હિંદુ મુખ્યમંત્રીને પસંદ કરવામાં આવે નહીં.'
શિવસેનાએ એવા સમયે જમ્મુ-કાશ્મીરમાં પરિસીમન પર દબાણ આપ્યું છે, જ્યારે કોંગ્રેસે પણ આ મુદ્દા પર જલ્દીથી આગળ વધવાની વાત કહી છે. એક ન્યૂઝ એજન્સી પ્રમાણે કોંગ્રેસની જમ્મુ-કાશ્મીરના એકમે બુધવારે કહ્યું છે કે પરિસીમનની પ્રક્રિયાને ઓછામાં ઓછા સમયમાં પૂરી કરી લેવી જોઇએ. જમ્મુ-કાશ્મીર કોંગ્રેસનું આ નિવેદન એ સમાચાર બાદ આવ્યું, જેમાં કહેવામાં આવ્યું કે કેન્દ્ર સરકાર વિધાનસભા ક્ષેત્રોના દાયરા અને આકારને ફરીથી નિર્ધારણ માટે પરિસીમન આયોગ ગઠિત કરવા પર વિચાર કરી રહી છે.