મીડિયા રિપોર્ટ અનુસાર જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓએ ફયાજના 10 મહિનાના પ્રપોત્ર પર પણ રહેમ ન દેખાડ્યો અને તેને જમીન પર પછાડી દીધો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર, આતંકવાદીઓએ અવંતિપોરા સ્થિત હરિપરિગામ ગામમાં અધિકારીના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ એકે-47 લહેરાવતા પોલીસ અધિકારીના ઘરનો દરવાજો ખખડાવ્યો. જેવો ફયાઝે દરવાજો ખોલ્યો કે તરતત આતંકવાદીઓએ ગોળીબાર શરુ કરી દીધો.
આ દરમિયાન માતાપિતાને બચાવવા દોડેલી તેમની પુત્રી રફિયાને પણ આતંકવાદીઓએ ગોળીઓ વીંધી નાખી હતી. આ દરમિયાન છોકરાને ખવડાવી રહેલી ભટની વહુ સાયમાને આતંકવાદીઓ લાતો મારી તથા બાળકને પકડીને પછાડી દીધું હતું.
સાયમા કહે છે કે મેં આતંકવાદીઓને રહેમ કરવાનું કહ્યું તેમ છતાં પણ તેમણે મારા બાળકને પણ ન છોડ્યું. આતંકવાદીઓ મને પણ ગોળી ન મારી દે તે બીકે હું ચુપ રહી. પછી હું બીજી રુમમાં દોડી ગઈ હતી. આતંકીઓ ગયા પછી હું બહાર નીકળી અને જોરજોરથી રડવા લાગી હતી.