મોદી સરકારે આજે ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યસભામાં આજે ભારે હોબાળા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંધારણની કલમ 370 તથા બંધારણના અનુચ્છેદ 35-Aને નાબૂદ કરવાનો સરકારનો નિર્ણય જાહેર કર્યો છે. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિએ પણ સ્વીકારી લીધો હોવાથી હવે જમ્મુ અને કાશ્મીરમાં સ્થાનિક અલગતાવાદીઓ અને વિભાજનવાદીઓનું વર્ચસ્વ ખતમ થઈ જશે. ભારતના ભવિષ્ય માટેના આ નિર્ણાયક ફેંસલા અંતર્ગત હવે જમ્મુ-કાશ્મીર રાજ્યના બે ભાગ થઈ ગયા છે જેમાં એક હશે જમ્મુ-કાશ્મીર અને બીજો હશે લદ્દાખ. ત્યારે જાણો Analysis with Isudan Gadhvi આ ઐતિહાસિક નિર્ણય બાદ હવે શું?