કાશ્મીરને લઇને પાકિસ્તાન હવે નવું ષડયંત્ર રચવા જઇ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (યૂએનએચઆરસી) માં આજે પાકિસ્તાન 115 પન્નાઓનું ડોજિયર જમા કરશે. આ ડોજિયર હકીકતમાં પાકિસ્તાનનાં એક વધારે જુઠાણાંનો પર્દાફાશ થશે. પાકિસ્તાની રાજનાયિક સૂત્રોનાં જણાવ્યાં અનુસાર કાશ્મીર મામલામાં દુનિયાનો સપોર્ટ ના મળવાથી નારાજ પાકિસ્તાન ડોજિયરને આધારે એક વાર ફરી યૂએનમાં આ મુદ્દો ઉઠાવ્યો છે.
એવામાં, પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશી સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) (United Nations Human Rights Council) નાં 42માં અધિવેશનમાં શામેલ થવા માટે જેનેવા પહોંચી ગયા છે. UNHRCનું આ અધિવેશન 13 સપ્ટેમ્બર સુધી ચાલશે. પાકિસ્તાન આ અધિવેશનને ભારત વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય સ્તર પર કાશ્મીર મુદ્દાને ઉઠાવવા માટે એક મોકાનાં રૂપમાં જોઇ રહ્યું છે.
કલમ 370ને નિષ્પ્રભાવી કર્યા બાદથી જ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તર પર સતત કહેતું રહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં ભારત સરકાર દમન કરી રહી છે. જ્યારે ભારત તેનાં દરેક દાવાને ખારિજ કરતું રહ્યું છે.
પાકિસ્તાન વિદેશ મંત્રી કુરૈશી ન તો માત્ર UNHRCમાં કાશ્મીર મુદ્દાને ઉઠાવવાનાં છે. જો કે ભારત વિરૂદ્ધ સમર્થન પ્રાપ્ત કરવા માટે 'કાશ્મીર રિઝોલ્યુશન' પણ રજૂ કરવાની તૈયારીમાં છે. પાકિસ્તાન આ કોશિશ કરતુ રહ્યું કે UNHRCમાં કાશ્મીરને લઇને એક વિશેષ સત્ર આયોજિત કરવામાં આવે.
મુસ્લિમ દેશોનાં સંગઠન 'ઓર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોઓપરેશન' (OIC)નાં સભ્ય દેશોની UNHRCમાં મુખ્ય ભૂમિકા રહેશે. OICનાં 15 સભ્ય દેશ UNHRCનાં પણ સભ્ય છે. તાજેતરમાં જ OICએ તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકારોને લઇને ચિંતા દર્શાવી હતી.
કલમ 370 હટાવવી એ ભારતનો આંતરિક મુદ્દો: રશિયા
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા મુદ્દે રશિયાએ ભારતનું ખુલીને સમર્થન કર્યું હતું. આ અંગે રશિયાએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર મુદ્દે અમે ભારતની સાથે છીએ. કલમ 370 હટાવવી એ ભારતનો આંતરિક મુદ્દો છે. જેથી જમ્મુ-કાશ્મીર મુદ્દે અન્ય કોઈ ત્રીજો દેશ હસ્તક્ષેપ ના કરે.