વિદેશ સચિવ વિજય ગોખલેએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બે દિવસીમાં અનેક મુદ્દાઓ પર વાતચીત થઇ. આજરોજ બંને દેશના પ્રતિનિધિત્વ મંડળની બેઠકમાં કાશ્મીર મુદ્દે કોઇ વાતચીત થઇ નથી.
પીએમ મોદી-શી જિનપિંગ મુલાકાતમાં કાશ્મીર મુદ્દે ચર્ચા નહીં
માનસરોવર યાત્રા પર બંને દેશોના નેતાઓ વચ્ચે વાતચીત
વૈશ્વિક આતંકવાદ આજે સૌથી મોટો પડકાર
કાશ્મીર પર શી જિનપિંગ સાથે કોઇ વાતચીત નહીં
વિદેશ મંત્રાલયના જણાવ્યાં મુજબ પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે કાશ્મીર મુદ્દાને લઇને કોઇ ચર્ચા થઇ નથી. જો કે બંને દેશોએ આતંકવાદ અને કટ્ટરપંથ પર ચર્ચા કરી અને તેના ઉકેલ માટે ચર્ચા કરાઇ. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે કાશ્મીર મુદ્દાને લઇને કોઇ વાતચીત થઇ નથી તેમ વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું.
Foreign Secretary Vijay Gokhale: This(Kashmir) issue was not raised and not discussed. Our position is anyways very clear that this is an internal matter of India. #Modixijinpingpic.twitter.com/6tULNNCLRA
વૈશ્વિક આતંકવાદના ખતરાને લઇને બંને નેતાઓ વચ્ચે વાતચીત
ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેએ બંને દેશના નેતાઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં થયેલી ચર્ચાઓને લઇને જણાવ્યું કે બંને નેતાઓ વચ્ચે મુલાકાત દરમિયાન વૈશ્વિક આતંકવાદ અને તેના ખતરા પર ચર્ચા કરી. બંને નેતાઓએ કહ્યું કે હાલ દુનિયામાં આતંકવાદ અને કટ્ટરપંથ સૌથી મોટો પડકાર છે જેના પર કડક પગલા લેવા જરૂરી છે.
માનસરોવર યાત્રા પર બંને દેશો વચ્ચે વાતચીત
વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે માનસરોવર યાત્રાનો મુદ્દો ઉઠ્યો હતો. આ દરમિયાન યાત્રા પર જનારા યાત્રીઓની સુવિધા પર વાતચીત થઇ. પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિને માનસરોવર યાત્રીઓની સુવિધાને લઇને કેટલાંક સૂચન કર્યાં.
Vijay Gokhale, Foreign Secretary: President Xi spoke of greater facilitation for yatris going to the Mansarovar Yatra and Prime Minister suggested a number of ideas on the connection between state of Tamil Nadu and the Fujian province of China. pic.twitter.com/AlH9wMadxa