આતંકવાદી સંગઠનને મદદ કરનાર પાકિસ્તાન કાશ્મીરને લઇને પોતાના નાપાક ઇરાદથી પર આવતું નથી. કાશ્મીરનો રાગ ફરી આલાપતાં પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ફરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાત કરી.
આ મામલાનો ગરમાવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ પાકિસ્તાનની નાપાક હરકત ફરીવાર નિષ્ફળ નીવડી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે પાકિસ્તાન ભારત સાથે પોતાના તણાવને દૂર કરવા દ્વિપક્ષીય વાતચીત કરે. ખરેખર, જમ્મૂ-કાશ્મીરમાં ધારા 370 પર ભારત સરકારના નિર્ણયને પાકિસ્તાન જાણીજોઇને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવા ઇચ્છે છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન થોડા દિવસ અગાઉ અમેરિકાની મુલાકાતે પહોંચ્યાં હતા. જ્યાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થા અંગે વાત કરી હતી. જો કે ત્યારબાદ અમેરિકામાં ટ્રમ્પના સલાહકારા સજાવ્યાં બાદ ટ્રમ્પે મધ્યસ્થાના નિવેદન પર યૂટર્ન લઇ લીધો હતો. ટ્રમ્પે ફરી નિવેદન આપતાં કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન બંને દેશ ઇચ્છે તો જ તેઓ મધ્યસ્થતા કરવા તૈયાર છે.
આમપાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ફરી ગઇકાલે શુક્રવારના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન કાશ્મીર મુદ્દાને લઇને વાતચીત કરવામાં આવતાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા દ્વારા તણાવ દૂર કરવા પર જોર આપ્યું.
ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો હટાવી તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજન પર ભારતના નિર્ણયને લઇને ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બંધ બારણે બેઠક યોજાઇ તે અગાઉ ટ્રમ્પ અને ઇમરાન ખાન વચ્ચે ટેલિફોનિક વાતચીત થઇ હતી.
જો કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બંધ બારણે યોજાયેલી બેઠકમાં ફરી પાકિસ્તાનને કોઇ દેશનું સમર્થન મળ્યું નથી. અમેરિકા સહિત રશિયા, બ્રિટનને ભારતના નિર્ણયને સમર્થન આપ્યું છે. આ અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ ઇસ્લામાબાદમાં જણાવ્યું હતું કે ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં સુરક્ષા પરિષદની બેઠકના સંબંધે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભરોસામાં લીધા છે.