કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પાકિસ્તાન દ્વારા કાશ્મીરને લઇને સંયુક્ત રાષ્ટ્રમાં દાખલ કરેલી અરજી પર રાહુલ ગાંધીના ટવિટ અને નિવેદન પર પલટવાર કર્યો છે. રાહુલ ગાંધીએ આજરોજ ટવિટ કરી પાકિસ્તાનને ચેતાવણી આપી છે.
રાહુલ ગાંધીએ લખ્યું છે કે હું આ સરકારના કેટલાંક નિર્ણયથી અસહમત છું. પરંતુ હું પાકિસ્તાનને કડક શબ્દોમાં જણાવવું છું કે કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે અને તેમાં હસ્તક્ષેપ કરવાનો પાકિસ્તાન અથવા કોઇ અન્ય દેશને જગ્યા નથી. પાકિસ્તાનને કશ્મીર મુદ્દે બોલવાનો કોઇ અધિકાર નથી.
જમ્મૂ-કાશ્મીરમાં હિંસા થઇ છે. આ હિંસા પાકિસ્તાન તરફથી ઉશ્કેરાયેલા અને સમર્થિત હતુ. જેને દુનિયા ભરમાં આતંકવાદનું પ્રમુખ સમર્થક માનવામાં આવે છે.
There is violence in Jammu & Kashmir. There is violence because it is instigated and supported by Pakistan which is known to be the prime supporter of terrorism across the world.
રાહુલ ગાંધીના નિવેદન પર કોંગ્રેસે આપી પ્રતિક્રિયા
રાહુલ ગાંધીના નિવેદન પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા જણાવ્યું છેકે પાકિસ્તાને રાહુલ ગાંધીના નામનો ખોટો ઉપયોગ કર્યો છે, જેથી તે ખોટાને સાચુ ઠેરવી શકે.
રણદીપ સુરજેવાલાએ કહ્યું કે પાકિસ્તાન તરફથી રાહુલ ગાંધી અંગે ખોટી સૂચના આપવામાં આવી છે. વિશ્માં કોઇને શંકા નથી કે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે. પાકિસ્તાનના નાપાક ઇરાદાથી આ સત્ય બદલાઇ નહીં જાય.
Randeep Singh Surjewala, Congress: Let no one in the world be in doubt that Jammu, Kashmir and Ladakh were, are and shall always remain an integral part of India. No amount of diabolical deception by Pakistan shall change this irrevocable truth. https://t.co/f2ISellS2v
પાકિસ્તાનને UNમાં પત્ર લખી રાહુલ ગાંધીના નિવેદનનો કર્યો ઉલ્લેખ
પાકિસ્તાને મંગળવારે કાશ્મીર મામલે સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખી ભારત વિરુધ્ધ ફરિયાદ કરી હતી. આ પત્રમાં રાહુલ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પત્રમાં ભારત પર કાશ્મીરમાં માનવાધિકારનું ઉલ્લંઘન અને હિંસાને ઉશ્કેરવાનો આરોપ લગવામાં આવ્યો છે. પાકિસ્તાને પત્રમાં લખ્યું છે કે ભારતના એક પક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ માને છે કે 'કાશ્મીરમાં લોકો મરી રહ્યાં છે' અને ત્યાં પરિસ્થિતિ સામાન્ય નથી.