કોરોના મહામારી દરમિયાન સેનાએ આતંકીઓ વિરૂદ્ધ ઓપરેશન હાથ ધર્યું છે. ત્યારે ગત 24 કલાકની અંદર સેનાએ 4 આંતકીઓને ઠાર માર્યા હતા. અનંતનાગ અને પુલવામામાં 2-2 આતંકીઓને સેનાએ માર્યા હતા.
ભારતીય સેનાએ છેલ્લા 24 કલાકમાં 4 આંતકીઓને માર્યા ઠાર
ચાલુ મહિનામાં 22 આતંકીઓનો બાલાવ્યો ખાતમો
17 જવાન થયાં શહીદ
ત્યારે ચાલુ મહિનામાં સુરક્ષાદળોએ 22 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જ્યારે ચાલુવર્ષે મરનાર આંતકીઓની સંખ્યા 54 સુધી પહોંચી હતી. જો કે, આ ઓપરેશન દરમિયાન 17 જવાન શહીદ થયાં હતા.
નોંધપાત્ર વાત એ છે કે ગયા વર્ષે ઓગસ્ટથી કાશ્મીરમાં કલમ-370 હટાવ્યા બાદ જવાનો ઉપર જેટલા હુમલા નથી થયાં જેટલા લૉકડાઉનના 28 દિવસમાં થયાં છે. 370 હટાવ્યા બાદ 6 મહિનામાં 5 જવાન શહીગ થયાં હતા જ્યારે આ દરમિયાન 30થી 40 આતંકીઓને સેનાઓ ઠાર માર્યા હતા. ત્યારે છેલ્લા 2 અઠવાડિયામાં કાશ્મીરમાં થયેલ આંતકી હુમલામાં 10 જવાન શહીદ થયાં હતા જ્યારે 17 આંતકીઓ માર્યા ગયા હતા.
સેનાએ આતંકીઓને માર્યા ઠાર
શનિવારે સવારે 50 રાષ્ટ્રીય રાઇફલ્સ, સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત ટીમે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરાના ગોરીપોરા વિસ્તારમાં એક કોર્ડન અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળે આગળ વધી ત્યારે આતંકીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. શુક્રવારે આતંકીઓએ કુલગામના શિરપોરા વિસ્તારમાંથી એક કોન્સ્ટેબલનું અપહરણ કર્યું હતું. તેની ઓળખ સરતાજ અહેમદ ઇટુ તરીકે થઈ હતી.