જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની વચ્ચે પ્રશાસને મોટો નિર્ણય લેતા હિન્દુ સરકારી અધિકારીઓના ટ્રાંસફર કરવાનો નિર્ણય કર્યો છે.
જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગ બાદ લેવાયો મોટો નિર્ણય
વધુ એક હિન્દુ શિક્ષિકાની આતંકીઓએ કરી હત્યા
ઉપરાજ્યપાલે બેઠક બોલાવી લીધો આ નિર્ણય
જમ્મુ કાશ્મીરમાં આંતકવાદીઓ દ્વારા સતત દહેશતનો માહોલ યથાવત રાખવાના પ્રયાસ થઈ રહ્યા છે. કલમ 370 હટાવ્યા બાદ અત્યાર સુધી અહીં 4 કાશ્મીરી પંડિતો સહિત 14 હિન્દુની હત્યા કરવામાં આવી છે. કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ ઓક્ટોબરમાં શરૂ થયું હતું, જેમાં હવે વધારો થઈ રહ્યો છે.જેમાં હવે કુલુગામમાં હિન્દુ શિક્ષક રજની બાળાની હત્યા બાદ અગાઉથી જ ચાલુ વિરોધ પ્રદર્શન હવે બળવત્તર બની ગયું છે.
ટાર્ગેટ કિલીંગ બાદ લેવાયો આ મોટો નિર્ણય
જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની વચ્ચે પ્રશાસને મોટો નિર્ણય લેતા હિન્દુ સરકારી અધિકારીઓના ટ્રાંસફર કરવાનો નિર્ણય કર્યો છે. જે પણ કર્મચારી છેવાડા અને દૂરના વિસ્તારમાં કામ કરી રહ્યા છે. તેમને કાશ્મીર જિલ્લાના મુખ્ય કાર્યાલયમાં લાવવાની તૈયારી છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ એક મહત્વની બેઠક બોલાવી હતી, જેમાં ઘાટીમાં સતત થઈ રહેલા ટાર્ગેટ કિલીંગ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ ચર્ચા બાદ નિર્ણય કર્યો હતો કે, એ તમામ હિન્દુ કર્મચારીઓની બદલી કરવામા આવશે, જે હાલમાં દૂર છેવાડાના વિસ્તારમાં કામ કરી રહ્યા છે. તેમની સુરક્ષાને ધ્યાને રાખતા પ્રશાસને તમામ જિલ્લા કાર્યાલયમાં ટ્રાંસફર કરશે. મીટિંગમાં એવો પણ નિર્ણય કર્યો છે કે, આ તમામ હિન્દુ કર્મચારીઓને સુરક્ષિત આવાસ આપવાની જવાબદારી પણ પ્રશાસનની રહેશે. ત્યારે આવા સમયે તેમને ફક્ત ટ્રાંસફર જ નહીં પણ સુરક્ષિત આવાસ આપવાની પણ ગેરેન્ટી આપીએ છીએ.
સરકાર કરી રહી છે સુરક્ષાના દાવા
સરકારના સુરક્ષાના દાવા છતાં અહીં પંડિતોની હત્યાનો સિલસિલો યથાવત છે. જમ્મુ કાશ્મીરમાં આંતકવાદીઓ દ્વારા સતત દહેશતનો માહોલ યથાવત રાખવાના પ્રયાસ થઈ રહ્યા છે. કલમ 370 હટાવ્યા બાદ અત્યાર સુધી અહીં 4 કાશ્મીરી પંડિતો સહિત 14 હિન્દુની હત્યા કરવામાં આવી ચૂકી છે. કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ ઓક્ટોબરમાં શરૂ થયું હતું, જેમાં હવે વધારો થઈ રહ્યો છે. અહીં છેલ્લાં પાંચ જ દિવસમાં સાત નાગરિકોને આતંકીઓએ નિશાન બનાવ્યા છે. ત્યારે હવે મંગળવારે કુલુગામના ગોપાલપોરા વિસ્તારમાં મંગળવારે સવારે હાઈ સ્કૂલ ટીચર રજની બાળાની આતંકીઓએ હત્યા કરી દીધી હતી. 36 વર્ષની રજનીને માથામાં ગોળી વાગી હતી. કુલુગામમાં રહેતી શિક્ષકને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ નિધન થયું હતું.
કુલગામમાં હિન્દુ શિક્ષિકાની ગોળી મારી કરી હત્યા
કુલુગામમાં હિન્દુ શિક્ષક રજની બાળાની હત્યા મુદ્દે અગાથી જ ચાલુ વિરોધ પ્રદર્શન હવે બળવત્તર બની ગયું છે. આજે પણ વિરોધ-પ્રદર્શન શરૂ રહ્યા હતા. રજનીની અંતિમ યાત્રા દરમિયાન ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓ રસ્તા પર આવી ગયા હતા અને 'અમને ન્યાય જોઈએ'ના નારા લગાવ્યા હતા.
આ દરમિયાન કાશ્મીરી પંડિતોએ ધમકી આપી છે કે, જો પ્રશાસન તેમને 24 કલાકમાં ચોક્કસ સુરક્ષા પૂરી નહીં પાડે કે તેમને ચોક્કસ સુરક્ષીત સ્થાને નહીં પહોંચાડે તો તેઓ ઘાટી છોડી દેશે.
અરવિંદ કેજરીવાલે પ્રહારો કર્યાં
જમ્મૂ-કાશ્મીરમાં પંડિતોના સુરક્ષિત પુનવસને પડકારતાં આતંકીઓના હુમલાની ઘટનાઓ બાદ, હવે દિલ્લી સીએમ અરવિંદ કેજરીવાલે સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો સાથે એ જ થઈ રહ્યું છે, જે 1990ના દાયકામાં તેમની સાથે થતું હતું. આ બાબત માનવતા અને દેશની વિરુદ્ધ છે અને તેમને રોકવા માટે કોઈ કશુ નથી કરતું.
વડાપ્રધાન રોજગાર પેકેજ અંતર્ગત નોકરી
ઘાટીમાં 18 દિવસથી કાશ્મીરી પંડિતોનું આંદોલન ચાલી રહ્યું છે. વડાપ્રધાન રોજગાર પેકેજ અંતર્ગત નોકરી મેળવનાર પંડિતો કામનો બહિષ્કાર કરીને પ્રદર્શન કરી રહ્યા છે. આ ઘાટીમાં સૌથી લાંબુ ચાલનાર આંદોલન બન્યું છે. આપને જણાવી દઈએ કે, લગભગ 4000 જેટલા કાશ્મીરી પંડિતો 2010માં વડાપ્રધાન પુનર્વસન પેકેજ (PMRP) હેઠળ કાશ્મીર પરત ફર્યા હતા. પરંતુ હવે સ્કૂલ ટીચર રજની બાળાની હત્યા બાદ પંડિતોમાં નવેસરથી દહેશત ઉભી થઈ છે. જેણે સરકારની પુનર્વાસ યોજના સામે નવો પડકાર ઉભો થયો છે.