સંવિધાનમાંથી કલમ-370 હટાવ્યાં બાદ કાશ્મીરમાં છેલ્લા ત્રણ મહિનામાં ઘાટીના વેપારી સમુદાયને 10,000 કરોડ રૂપિયાથી વધારે નુકસાન થયું છે. કાશ્મીરના એક ઉદ્યોગ ચેમ્બરે આ દાવો કર્યો છે.
370 હટાવ્યાંને અંદાજે ત્રણ મહિના થયા
કાશ્મીર ઘાટીમાં વેપાર હજી પણ ઠપ
વેપારીઓને 10,000 હજાર કરોડ કરતાં વધારે નુકસાન
ઉલ્લેખનીય છે કે કલમ-370 ને આ વર્ષે 5 ઓગસ્ટના રોજ દૂર કરવામાં આવી હતી ત્યારથી રવિવાર સુધી 84 દિવસ થઇ ચૂક્યાં છે. ઘાટીમાં મુખ્ય બજાર હજી પણ બંધ છે અને રોડ પર સાર્વજનિક વાહન પણ ચાલી નથી રહ્યાં.
KCCIના અધ્યક્ષે નુકસાનને લઇને કહી આ વાત
શ્રીનગરના લાલ ચોક જેવા વિસ્તારોમાં કેટલીક દુકાનો થોડા સમય માટે ખુલી રહી છે, પરંતુ મુખ્ય બજાર હજી પણ બંધ છે. કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (KCCI)ના અધ્યક્ષ શેખ આશિકએ એક મીડિયા એજન્સીને જણાવ્યું હતું જનજીવન હજી સામાન્ય થયું નથી, જેને લઇને આટલું મોટુ નુકસાન થયું છે. જેનો સંપૂર્ણ રીતે અંદાજ લગાવો પણ આસાન નથી, પરંતું આ ઝટકો એટલો મોટો છે કે તેની ભરપાઇ કરવી આસાન નથી.
શેખ આશિકે જણાવ્યું કે કાશ્મીરમાં વેપારીઓનું નુકસાન 10,000 કરોડ રૂપિયાથી વધારે થઇ ગયું છે અને દરેક સેકટરમાં તે પ્રભાવિત થયું છે. હવે અંદાજે ત્રણ મહિના જેટલો સમય થઇ ગયો છે, પરંતુ પરિસ્થિતિ એવી છે કે લોકો વેપાર નથી કરી રહ્યાં. જો કે થોડા સમયથી કોઇ ગતિવિધ જોવા મળી રહી નથી, પરંતુ એક ફીડબેક મુજબ વેપાર ઘણો ઓછો છે.
કયા સેકટરમાં થયું નુકસાન
KCCIના અધ્યક્ષે સેકેટરનું ઉદાહરણ આપતા કહ્યું કે IT સેકટર આગળ વધનારુ સેકટર છે. અહીંથી ઘણી કંપનીઓ અમેરિકા, યૂરોપ સુધી પોતાની સેવા આપી રહી હતી, પરંતુ ઇન્ટરનેટ સુવિધા પર પ્રતિબંધ લગાવાથી તેમના વેપાર પર અસર જોવા મળી.
હેન્ડીક્રાફટમાં જુલાઇ થી ઓગસ્ટ સુધી ઓર્ડ લેવામાં આવે છે અને ક્રિસમસ-નવા વર્ષ સુધીમાં માલની ડિલીવરી કરવામાં આવે છે. પરંતુ આ વખતે ઓર્ડર મળવો જ મુશ્કેલ છે. કોઇપણ પ્રકારની કનેક્ટિવીટી જ નથી, જેના કારણે કોઇ ઓર્ડર મળી રહ્યો નથી. જેને લઇને 50,000 વણકર અને શિલ્પકારોની નોકરી ખતરામાં છે.