187 વર્ષો બાદ કાશી વિશ્વનાથ મંદિરમાં સોનું મઢાયું. જેને જોઇને પીએમ મોદીએ પણ વખાણ કર્યા.
કાશી વિશ્વનાથમાં મઢવામાં આવ્યું સોનું
પ્રધાનમંત્રી મોદીએ પણ કર્યા વખાણ
187 વર્ષો બાદ સોનું મઢાયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે રવિવારે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા તો ત્યાં મંદિરનું ગર્ભગૃહ હંમેશાથી અલગ હતું. 187 વર્ષો બાદ વિશ્વનાથ મંદિરમાં સોનાના પત્રોની મઢાઈ થઇ. જેને જોઇને પીએમ મોદીએ પણ વખાણ કર્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે 'બૂથ વિજય સંમેલન' માં શામેલ થયા બાદ સીધા કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા, પરંતુ આ સમયે મંદિરનો ગર્ભગૃહ હંમેશાથી અલગ હતો કેમકે 187 વર્ષો બાદ વિશ્વનાથ મંદિરમાં સોનાનાં પત્રોની મઢાઈ થઇ હતી, જેને જોઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વખાણ કરતા થાકતા ન હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે સાંજે શ્રીકાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યા. મંદિરનાં ગર્ભગૃહમાં ચાલી રહેલ સ્વર્ણ મંડનનાં કાર્યનાં પૂર્ણ થયા બાદ પહેલી વાર પૂજા કરવા પહોંચેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાર્યને જોતા કહ્યું કે અદભૂત તથા અકલ્પનીય કાર્ય થયું છે. સ્વર્ણ મંડનથી વિશ્વનાં નાથનો દરબાર એક અલગ જ છાપ પ્રદર્શિત કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે લગભગ 6 વાગ્યે મંદિર પરિસર પહોંચ્યા. વિશ્વનાથ દ્વારથી પ્રવેશ કર્યા બાદ મંદિર પરિસરના ઉત્તરી ગેટથી ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો. મંદિરના અર્ચક સત્યનારાયણ ચોબે, નીરજ પાંડે તથા શ્રી દેવ મહારાજે બાબાનું ષોડશોપચાર પૂજન કરાવ્યું. પૂજન બાદ પ્રધાનમંત્રીએ બાબા શ્રી કાશી વિશ્વનાથથી જનકલ્યાણની કામના કરી.
ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરિસરની અંદર ચારે બાજુ લાગેલ સ્વર્ણનાં કાર્યને નિહાળ્યું. તેમણે કહ્યું કે દિવાલો પર ઉકિરાયેલ વિભિન્ન દેવતાઓની આકૃતિઓ સ્વર્ણમંડન બાદ વધુ સ્પષ્ટ પ્રદર્શિત થઇ રહી છે. સ્વર્ણ મંડન બાદ ગર્ભગૃહની શોભા ઘણી વધી ગઈ છે. તેમણે બાબાને પ્રણામ કર્યા તથા મંગળ કામના કરી બહાર ગયા.
આ દરમિયાન પરિસરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ હર હર મહાદેવ તો ઉપસ્થિત સેવાદારોએ ડમરું વગાડીને પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું. પરિસરમાં ઉપસ્થિત શાસ્ત્રીઓએ મંગલાચરણ કરી પ્રધાનમંત્રીનું અભિવાદન કર્યું. પૂજન બાદ પ્રધાનમંત્રીએ અંગવસ્ત્રમ તથા મોમેન્ટો ભેંટ આપી. ત્યાર બાદ પ્રધાનમંત્રી પોતાના રસ્તે રવાના થયા.
આજથી 187 વર્ષ પહેલા પંજાબનાં તત્કાલીન મહારાજા રણજીત સિંહે મંદિરનાં બે શિખરોને સ્વર્ણ મંદિરમાં રૂપાંતરિત કરાવ્યા હતા, જ્યાર બાદ હવે દક્ષીણ ભારતના દાનદાતાઓની મદદથી ગર્ભગૃહને 120 કિલો સોનાથી સ્વર્ણ મંડિત કરાવવાનું કામ લગભગ પૂરું થઇ ચુક્યું છે તથા કાશીપુરાધીપતિનાં મંદિરનાં ગર્ભગૃહ સોનાની આભાથી ચમકવા લાગ્યું છે.
મંદિરની અંદરની દિવાલો પર સોનાની પરત લાગેલ છે. મહાશિવરાત્રી પહેલા બચેલ કામ પૂરું કરવામાં આવશે તથા આ વખતે શિવ ભક્ત સ્વર્ણિમ આભામાં શિવ તથા શક્તિનાં દર્શન કરી શકશે.