કરવા ચોથ પર સરગીની પરંપરા ઘણી જૂની છે. આ દિવસે કરવા ચોથના વ્રત પહેલા સાસુ તેમની વહુને સરગી આપે છે. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જાણો કરવા ચોથની સરગીની થાળીમાં કઈ વસ્તુઓ રાખવી શુભ છે.
13 ઓક્ટોબરે છે કરવા ચોથ
વ્રત પહેલા સાસુ આપે છે વહુને સરગી
સરગીની થાળમાં આ વસ્તુઓ છે જરૂરી
કારતક માસના કૃષ્ણ પક્ષની ચોથના દિવસે કરવા ચોથ વ્રત રાખવામાં આવે છે. આ વખતે કરવા ચોથનું વ્રત 13 નવેમ્બરે રાખવામાં આવશે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને તેમના સારા સ્વાસ્થ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે.
આ દિવસે નિર્જળા વ્રત રાખવામાં આવે છે. ભૂખ્યા-તરસ્યા રહીને, રાત્રે ચંદ્રોદય પછી ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને ઉપવાસ તોડવામાં આવે છે. પરંતુ હિંદુ ધર્મમાં કરવા ચોથનો ઉપવાસ શરૂ થાય તે પહેલા સાસુ દ્વારા વહુને સરગી આપવાની પરંપરા છે.
વ્રતને લઈને છે ખાસ નિયમો
વ્રતને લઈને શાસ્ત્રોમાં કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. તેમને અનુસરવાથી જ મહિલાઓને વ્રતનું પૂર્ણ ફળ મળે છે. મહિલાઓ ઘણા દિવસો અગાઉથી કરવા ચોથ વ્રતની તૈયારી શરૂ કરી દે છે. આવી સ્થિતિમાં જો તમે પણ સરગી માટે થાળી બનાવવાનું વિચારી રહ્યા છો તો તમને જણાવી દેઈએ કે તેમાં કઈ વસ્તુઓ શામેલ કરવી જરૂરી છે. જાણો સરગીના મુહૂર્ત અને તેની સાથે જોડાયેલી માહિતી.
કરવા ચોથીની સરગીમાં શું હોય છે?
કરવા ચોથના એક દિવસ પહેલા, સાસુ તેમની વહુને મીઠાઈઓ અને ખાવાની વસ્તુઓ આપે છે. તેને સરગી કહે છે. સુહાગીન મહિલાઓ સૂર્યોદય પહેલા જાગીને આ વસ્તુઓનું સેવન કરે છે. સરગીની થાળીમાં 16 શણગારની વસ્તુઓ, સુકા મેવા, ફળ, મીઠાઈ વગેરેની તમામ સામગ્રી રાખવામાં આવે છે. ઉપવાસની શરૂઆત સરગીની વસ્તુઓથી કરવામાં આવે છે. જો કોઈ સ્ત્રીને સાસુ ન હોય તો જેઠાણી કે બહેન પણ આ વિધિ કરી શકે છે.
સરગીનું શુભ મુહૂર્ત
કારવા ચોથ વ્રતના દિવસે સૂર્યોદય પહેલા સરગી કરવામાં આવે છે. આ દિવસે સવારે 4-5 વાગ્યાની આસપાસ સરગી કરવાની સલાહ આપવામાં આવે છે. સરગી દરમિયાન તેલ-મસાલેદાર વસ્તુઓ ન ખાવી જોઈએ. એવું કહેવાય છે કે આનાથી ઉપવાસનું ફળ મળતું નથી. બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સરગીનું સેવન કરવું સારું માનવામાં આવે છે.
બ્રહ્મ મુહૂર્ત - 13 ઓક્ટોબર, સવારે 04:46 થી 05:36 સુધી છે.
સરગીમાં આ વસ્તુઓનો સમાવેશ કરો
સુહાગનો સામાન
પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. એવામાં સરગીની થાળમાં કંકુ, ચાંદલો, પાયલ, મહેંદી, બંગડી, લાલ સાડી, ગજરા, મહાવર, સિંદૂર, પાયલ, ટીક્કો, વિંછીઓ, કાજલ, કાંસકો વગેરે વસ્તુઓનો સમાવેશ જરૂર કરો.
તાજા ફળ
સરગીની થાળીમાં તાજા ફળો જેવા કે સફરજન, અનાનસ, મોસંબી વગેરેનો સમાવેશ કરો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફળોનો સમાવેશ કરવો સારું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કરવા ચોથનું વ્રત સૂર્યોદયથી ચંદ્રોદય સુધી નિર્જળા રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં ફળોના સેવનથી મહિલાઓને દિવસભર એનર્જી મળે છે.
મીઠાઈ
સરગી હંમેશા સૂર્યોદય પહેલા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં સરગીની થાળીમાં મીઠાઈ જરૂર રાખો. મીઠાઈ ખાવાથી વ્રતમાં કોઈ મુશ્કેલીઓ નથી આવતી.
બદામ અને નાળિયેર પાણી
દિવસભર ભૂખ્યા અને તરસ્યા રહેવા માટે ઉર્જા જરૂરી છે. આ સ્થિતિમાં સરગીમાં સૂકામેવા અને નારિયેળ પાણીનો સમાવેશ કરો. સરગીના સમયે ખાવાથી ઉપવાસ દરમિયાન ઉર્જા જળવાઈ રહે છે.